19 C
Ahmedabad
February 12, 2025
NEWSPANE24
Gujarat News

Corona : ગુજરાતમાં કોરોનાના નવા કેસ 71 : 1 વ્યક્તિનું મોત

Corona
SHARE STORY

corona awareness

ગુજરાતમાં છેલ્લા દિવસોમાં કોરોના(Corona) સંક્રમિતોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેમાં આજે પણ કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો થતા 71 કેસ નવા નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણને કારણે 1 વ્યક્તિનું મોત નિપજ્યુ છે.

corona SOP

અમદાવાદ કર્પોરેેશનમાં કોરોનાના 29 કેસ

અમદાવાદ કોર્પોરેશન ખાતે કોરોના(Corona)ના કેસ 50થી નીચે રહેતા નવા 29 કેસ નોંધાયા છે. ત્યારબાદ વડોદરા કોર્પોરેશનમાં 11, રાજકોટ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 1, વડોદરામાં 5, તાપીમાં 4, બનાસકાંઠામાં 3, અમદાવાદ જિલ્લામાં 2, દાહોદમાં 2, ડાંગમાં 2, ગાંધીનગરમાં 2, અમરેલીમાં 1 જ્યારે પાટણમાં 1 કેસ નોંધાયો છે.

Corona

રાજ્યમાં કોરોનાના એક્ટિવ કુલ કેસ 1000થી નીચે : સાજા થવાનો દર 99.03%

આ સાથે રાજ્ય(Gujarat)માં હાલ કોરોનાCorona)ના એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 914 પર પહોંચી છે, જેમાં 6 દર્દીઓ વેન્ટિલેટર(Ventilator) પર, જ્યારે સ્ટેબલ અવસ્થામાં 908 દર્દીઓ છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 12,11,413 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે, જ્યારે 10,935 લોકો કોરોનાનો ભોગ બની ચૂક્યા છે. કોરોનાથી સાજા થવાનો દર 98થી ઉપર આવી જતા હાલ 99.03% છે.

Corona

કોરોનાને નાથવા સાવચેતી રાખી આપનું અને આપના પરિવારનુ રક્ષણ કરો

કોરોના(Corona) સંક્રમણથી પોતાને અને પોતાના પરિવારને બચાવવા માસ્ક અચૂક પહોરો, સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન કરો, વારંવાર સાબુતી હાથ ધોવાનું રાખો, છીંક કે ઉધરસ ખાતી વખતે આપના નાક-મોઢાને કવર કરી ઢાંકવાની ટેવ પાડો, વારંવાર તમારી આંખને સ્પર્ષ કરવાથી બચો અને જરુરી ન હોય તો ધરની બહાર નીકળવાનું ટાળો. આપ સુરક્ષિત રહેશો તો આપનું પરિવાર સુરક્ષિત રહેશે, પરિવાર સુરક્ષિત રહેશે તો મહોલ્લો, શેરી કે સોસાયટી સુરક્ષિત રહેશે, સોસાયટી સુરક્ષિત રહેશે તો ગામ, જીલ્લો અને રાજ્ય સહિત દેશ સુરક્ષિત રહેશે. કોરોના સામે લડવા દેશની સુરક્ષા માટે આગળ આવો, જાગૃત રહો અને જાગૃતિ ફેલાવો.

corona awareness

કોરોના અંગે જીલ્લાવાર આંકડા

corona numbers 6 March

તાજા સમાચાર

આજે કુલ 36,843 લોકોનું રસીકરણ(Vaccination)

corona vaccination numbers 6 March

રાજ્યમાં આજે કુલ 36,843 લોકોનું સરસીકરણ(Vaccination) કરવામાં આવ્યુ છે. જ્યારે અત્યાર સુધી કુલ 10,34,26,153 લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ છે.

આ પણ જુઓ

Pakistan Blast : પાકિસ્તાનની શિયા મસ્જિદમાં બ્લાસ્ટ : 57ના મોત, 200થી વધુ ધાયલ


SHARE STORY

Related posts

ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ

SAHAJANAND

First “Digital Justice Clock” in Gujarat : ગુજરાતમાં પ્રથમ “ઈ કોર્ટ-ફી પોર્ટલ” કાર્યરત

SAHAJANAND

Corona : ગુજરાતમાં કોરોનાના નવા 162 કેસ : 2 વ્યક્તિનાના મોત

Newspane24.com

Khijariya Wildlife Sanctuary : જામનગરના ખીજડીયા વન્યજીવ અભયારણ્યને રામસર સાઈટનો દરજ્જો મળ્યો

SAHAJANAND

Leave a Comment