
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના(Corona) સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો નોંધાતા 2,909 કેસ નવા નોંધાયા છે. જ્યારે મૃત્યુની સંખ્યામાં ધટાડો નોંધાતા 21 લોકોના મોત થયા છે. પાછલા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં 25% જેટલો ઘટાડો થતા કાલના 3,897 ની સરખામણીમાં આજે 2,909 કેસ નવા સામે આવ્યા છે.

અમદાવાદ કર્પોરેેશનમાં કોરોનાના કેસ 1000 નીચે
ગુજરાતમાં સૌથી વધુ કોરોના(Corona)ના કેસ 928 અમદાવાદ કોર્પોરેશન ખાતે નોંધાયા છે. ત્યારબાદ વડોદરા કોર્પોરેશનમાં 462, રાજકોટ કોર્પોરેશનમાં 108, સુરત કોર્પોરેશનમાં 90, વડોદરામાં 141, સુરત જીલ્લામાં 63, કચ્છમાં 81, આણંદમાં 44, ભરુચમાં 26, મહેસાણામાં 140, ગાંધીનગર કોર્પોરેશનમાં 131, જામનગર કોર્પોરેશનમાં 33 જ્યારે ભાવનગર કોર્પોરેશનમાં 27 કેસ નોંધાયા છે.

રાજ્યમાં કોરોનાના એક્ટિવ કુલ કેસ 38,644 : સાજા થવાનો દર 95.90%
આ સાથે રાજ્ય(Gujarat)માં હાલ કોરોનાCorona)ના એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 38,644 પર પહોંચી છે, જેમાં 215 દર્દીઓ વેન્ટિલેટર(Ventilator) પર, જ્યારે સ્ટેબલ અવસ્થામાં 38,429 દર્દીઓ છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 11,53,818 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે, જ્યારે 10,688 લોકો કોરોનાનો ભોગ બની ચૂક્યા છે. કોરોનાથી સાજા થવાનો દર 90થી ઉપર આવી જતા હાલ 95.90% છે.

કોરોનાને નાથવા સાવચેતી રાખી આપનું અને આપના પરિવારનુ રક્ષણ કરો
કોરોના(Corona) સંક્રમણથી પોતાને અને પોતાના પરિવારને બચાવવા માસ્ક અચૂક પહોરો, સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન કરો, વારંવાર સાબુતી હાથ ધોવાનું રાખો, છીંક કે ઉધરસ ખાતી વખતે આપના નાક-મોઢાને કવર કરી ઢાંકવાની ટેવ પાડો, વારંવાર તમારી આંખને સ્પર્ષ કરવાથી બચો અને જરુરી ન હોય તો ધરની બહાર નીકળવાનું ટાળો. આપ સુરક્ષિત રહેશો તો આપનું પરિવાર સુરક્ષિત રહેશે, પરિવાર સુરક્ષિત રહેશે તો મહોલ્લો, શેરી કે સોસાયટી સુરક્ષિત રહેશે, સોસાયટી સુરક્ષિત રહેશે તો ગામ, જીલ્લો અને રાજ્ય સહિત દેશ સુરક્ષિત રહેશે. કોરોના સામે લડવા દેશની સુરક્ષા માટે આગળ આવો, જાગૃત રહો અને જાગૃતિ ફેલાવો.

કોરોના અંગે જીલ્લાવાર આંકડા

તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
આજે કુલ 2,70,890 લોકોનું રસીકર(Vaccination

રાજ્યમાં આજે કુલ 2,70,890 લોકોનું સરસીકરણ(Vaccination) કરવામાં આવ્યુ છે. જ્યારે અત્યાર સુધી કુલ 9,98,80,825 લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ છે.
આ પણ જુઓ
Cataract free Gujarat : ગુજરાતને મોતિયા મુક્ત કરવાની ઝૂંબેશ