Gujarat : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં જણાવ્યુ હતુ કે સામાજીક સૌહાર્દ, શાંતિ અને સલામતિ જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
મુખ્યમંત્રીએ ગૃહમંત્રી હર્ષ સંધવીની ઉપસ્થિતિમાં રાજ્યના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને આણંદ જિલ્લાના ખંભાતમાં રામનવમીના દિવસે ભગવાન શ્રી રામની શોભાયાત્રા પર થયેલા હુમલાઓ અને ત્યાર બાદની ઘટનાઓની તલસ્પર્શી સમીક્ષા માટે ગૃહવિભાગની ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.
Gujarat : ગુજરાતના બુલ્ડોઝરો પાર્કિંગમાં કેમ છે…?
જોકે રામનવમીની શોભાયાત્રા પર થયેલા હુમલાઓને લઈને રામભક્તોએ સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં પોસ્ટ કરીને ગુસ્સો ઠાલવતા રાજ્ય સરકારને સવાલ કર્યો છે કે જેમ મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશની સરકારો સખત પગલા લઈને અરાજક તત્વોની મિલ્કતો પર બુલડોઝર ફેરવી રહી છે ત્યારે ગુચરાતમાં એવુ કેમ નથી થતુ…? ગુજરાતના બુલ્ડોઝરો પાર્કિંગમાં કેમ છે…?
Gujarat : Gujarat : ઘટનાઓમાં શામેલ વ્યક્તિઓ સામે કડક પગલા લેવાની કાર્યવાહી શરુ : ગૃહમંત્રી હર્ષ સંઘવી
ગૃહ વિભાગની આ ઉચ્ચસ્તરીય બેઠકમાં ગૃહમંત્રી હર્ષ સંધવીએ મુખ્યમંત્રીને માહિતગાર કરતા જણાવ્યુ હતુ કે રાજ્યમાં બે સ્થળો પર સામાજીક સમરસતા, શાંતિ અને સલામતીને ખલેલ પહોંચાડવાના પ્રચાસો કેટલાક અરાજક તત્વો દ્વારા કરવામાં આવ્યા છે તેને ગંભીરતાપૂર્વક લેતા રાજ્યના ગૃહવિભાગ અને પોલીસતંત્રએ ઘટનાઓમાં શામેલ વ્યક્તિઓ સામે કડક પગલા લેવાની કાર્યવાહી શરુ કરી દીધી છે.
આ પણ જુઓ
Ahmedabad Police : અમદાવાદ ગ્રામ્ય પોલીસને DGP દ્વારા પ્રશંસાપત્ર