27.3 C
Ahmedabad
July 31, 2025
NEWSPANE24
News Gujarat

Corona : ગુજરાતમાં કોરોનાના કેસ 100ની નીચે

Corona
SHARE STORY

corona awareness

ગુજરાતમાં છેલ્લા દિવસોમાં કોરોના(Corona) સંક્રમિતોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેમાં આજે પણ કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો થતા 96 કેસ નવા નોંધાયા છે. જ્યારે આજે કોરોનાને કારણે કોઈપણ મૃત્યુ નોંધાયુ નથી.

corona SOP

અમદાવાદ કર્પોરેેશનમાં કોરોનાના કેસ 50થી નીચે

અમદાવાદ કોર્પોરેશન ખાતે કોરોના(Corona)ના કેસ 50થી નીચે રહેતા નવા 38 કેસ નોંધાયા છે. ત્યારબાદ વડોદરા કોર્પોરેશનમાં 8, રાજકોટ કોર્પોરેશનમાં 7, સુરત કોર્પોરેશનમાં 2, વડોદરામાં 4, સુરત જીલ્લામાં 3, આણંદમાં 4, ખેડામાં 1, તાપીમાં 5, ગાંધીનગર કોર્પોરેશનમાં 32, બનાસકાંઠામાં 3, કચ્છમાં 3, દાહેદમાં 1, મહેસાણામાં 2 જ્યારે ડાંગમાં 2 કેસ નોંધાયા છે.

Corona

રાજ્યમાં કોરોનાના એક્ટિવ કુલ કેસ 1,109 : સાજા થવાનો દર 99.02%

આ સાથે રાજ્ય(Gujarat)માં હાલ કોરોનાCorona)ના એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 1,109 પર પહોંચી છે, જેમાં 8 દર્દીઓ વેન્ટિલેટર(Ventilator) પર, જ્યારે સ્ટેબલ અવસ્થામાં 1,101 દર્દીઓ છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 12,11,087 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે, જ્યારે 10,934 લોકો કોરોનાનો ભોગ બની ચૂક્યા છે. કોરોનાથી સાજા થવાનો દર 98થી ઉપર આવી જતા હાલ 99.02% છે.

Corona

કોરોનાને નાથવા સાવચેતી રાખી આપનું અને આપના પરિવારનુ રક્ષણ કરો

કોરોના(Corona) સંક્રમણથી પોતાને અને પોતાના પરિવારને બચાવવા માસ્ક અચૂક પહોરો, સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન કરો, વારંવાર સાબુતી હાથ ધોવાનું રાખો, છીંક કે ઉધરસ ખાતી વખતે આપના નાક-મોઢાને કવર કરી ઢાંકવાની ટેવ પાડો, વારંવાર તમારી આંખને સ્પર્ષ કરવાથી બચો અને જરુરી ન હોય તો ધરની બહાર નીકળવાનું ટાળો. આપ સુરક્ષિત રહેશો તો આપનું પરિવાર સુરક્ષિત રહેશે, પરિવાર સુરક્ષિત રહેશે તો મહોલ્લો, શેરી કે સોસાયટી સુરક્ષિત રહેશે, સોસાયટી સુરક્ષિત રહેશે તો ગામ, જીલ્લો અને રાજ્ય સહિત દેશ સુરક્ષિત રહેશે. કોરોના સામે લડવા દેશની સુરક્ષા માટે આગળ આવો, જાગૃત રહો અને જાગૃતિ ફેલાવો.

corona awareness

કોરોના અંગે જીલ્લાવાર આંકડા

corona numbers 4 March.jpg

તાજા સમાચાર

આજે કુલ 99,237 લોકોનું રસીકરણ(Vaccination)

corona vaccination numbers 4 March

રાજ્યમાં આજે કુલ 99,237 લોકોનું સરસીકરણ(Vaccination) કરવામાં આવ્યુ છે. જ્યારે અત્યાર સુધી કુલ 10,32,93,021 લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ છે.

આ પણ જુઓ

India on Top : યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર લાવવાના ભારતના પ્રયાસોની તુલના


SHARE STORY

Related posts

Junagadh Gir Somnath : જુનાગઢ, ગીર સોમનાથની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિરાસત

SAHAJANAND

Corona નિયંત્રણના ઉપાયો સુચવવા રચાયેલા “Expert Group of Doctors”ની મુખ્યમંત્રી સાથે બેઠક

SAHAJANAND

Ahmedabad Police : અમદાવાદ પોલીસની 4 ફેબ્રૃઆરીની કાર્યવાહી

SAHAJANAND

Indian Media : પ્રિન્ટ તથા ઈ-મીડિયા માલિકો સાથે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરની ચર્ચા : સોશિયલ મીડિયામાં ફેલાતા ફેકન્યૂઝ અંગે ચિંતા

Newspane24.com

Leave a Comment