27 C
Ahmedabad
January 22, 2025
NEWSPANE24
Gujarat News

Corona નિયંત્રણના ઉપાયો સુચવવા રચાયેલા “Expert Group of Doctors”ની મુખ્યમંત્રી સાથે બેઠક

Coron
SHARE STORY

Table of Content : Corona નિયંત્રણના ઉપાયો સુચવવા રચાયેલા “Expert Group of Doctors”ની મુખ્યમંત્રી સાથે બેઠક

Expert Group of Doctors

સમગ્ર વિશ્વમાં વકરી રહેલી કોરોના(Corona) સંક્રમણની પરિસ્થિતીથી ભારત પણ અછુતુ રહ્યુ નથી. ગુજરાતમાં પણ કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોના (Corona) સંક્રમણને નિયંત્રિત કરવાના ઉપાયો, તેની સારવાર અંગેના સૂચનો અને Corona સામે લડવા  ભવિષ્યની નીતિ નિર્ધારિત કરવા અંગે સરકારને મદદરુપ થવા રચવામાં આવેલ એક્સપર્ટ ગૃપ ઓફ ડોક્ટર્સ(Expert Group of Doctors)ની અગત્યની બેઠક મુખ્મંત્રી ભૂપેન્દર પટેલની અધ્યક્ષતા હેઠળ ગાંધીનગર ખાતે યોજાઈ હતી. 

જનજાગૃતિ અંગેની ઝુંબેશ હાથ ધરવા સુચનો

Corona

બેઠકમાં ઉપસ્તિત તમામ ટાર્સ ફોર્સના તબીબો દ્વારા રાજ્યમાં આવનારા દિવસોમાં કોરોના(Corona)ના સંક્રમણ વધારો ન થાય તેને લઈને જનજાગૃતિ, સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અંગે સતર્કતા, સેનિટાઈઝરના વારંવાર ઉપયોગ, ભીડ-ભાડ વાળી જગ્યાઓથી દુર રહેવુ, વારંવાર હાથને સાબુથી સાફ કરવા જેવી જનજાગૃતિ અંગેની ઝુંબેશ હાથ ધરવા સુચનો કર્યા હતા.

લોકો જાતે માસ્ક, સેનિટાઈઝર અપનાવી સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન કરે

Corona

એક્સપર્ટ તબીબો દ્વારા એવો સ્પષ્ટ મત દર્શાવવામા આવ્યો હતો કે હાલની પરિસ્થિતિમાં સંક્રમણની જે સ્થિતી છે તેની ગંભીરતાને લોકો સુંધી પહોંચાડી લોકો જાતે માસ્ક, સેનિટાઈઝર અપનાવી સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન કરે તેના માટે વ્યાપક સ્તરે પ્રચાર-પ્રસાર સહિતની વ્યવસ્થા ઉભી કરવી તે સમયની જરુરીયાત છે.

આવશ્યક પગલા લેવા સાથે સ્વાસ્થ્ય સેવાઓના માળખાને વધુ સશક્ત બનાવાશે : મુખ્યમંત્રી

Corona

આ પ્રકારની જાગૃતિ ફેલાવવા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતુ કે સરકાર આ અંગે આવશ્યક પગલા લેવા સાથે કોરોના (Corona) સંક્રમણના નિયંત્રણ સહિત સારવાર અંગેના અગાઉની બે લહેરના અનુભવોને આધાર બનાવી આવનારા દિવસોમાં સ્વાસ્થ્ય સેવાઓના માળખાને વધુ સશક્ત બનાવવા સાથે રહી ગયેલા લોકોનું ઝડપી રસીકરણ કરવા અંગેની આયોજનબદ્ધ પદ્ધતી સરકાર અપનાવશે. આ સાથે તેમણે રાજ્યમાં દરેક નાગરિક સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝરનો જરુરી ઉપયોગ કરે તે અંગેની જાગૃતિ ફેલાવવા સરકારના પ્રચાર માધ્યમો સાથે તબીબો પણ સહભાગી બને તેવી અપેક્ષા જહેર કરી હતી.

તાજા સમાચાર

તબીબો સાથે સમયાંતરે બેઠક યોજી સરકાર માર્ગદર્શન મેળવશે

Corona

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યમંત્રી નિમિષાબેન સહિત એક્સપર્ટ ગૃપ ઓફ ડોક્ટર્સના તજજ્ઞોએ હાજર રહી તેમના અનુભવો અને ભવિષ્યના આગામી દિવસોની સંભવિત પરિસ્થિતી અંગે પોતાના તારણો રજુ કર્યા હતા. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે એક્સપર્ટ તબીબો સાથે સમયાંતરે બેઠક યોજી સરકાર તેમનુ માર્ગદર્શન મેળવશે અને તે માર્ગદર્શનના આધારે ટ્રિટમેન્ટ, સારવાર, પ્રોટોકોલ, ટ્રેકિંગ અને ટેસ્ટીંગ, હોસ્પિટલાઈઝેશન અંગે જરૂરી સુધારા વધારા કરવામાં આવશે.

આ પણ જુઓ

જુના વાહનનો નંબર રાખી શકાશે : Old vehicle number can be kept


SHARE STORY

Related posts

Corona કેસોમાં ઘટાડો : ગુજરાતમાં આજે 12,911 નવા કેસ : 22 ના મોત

SAHAJANAND

INDvsSA 3rd Test : બીજા દિવસે સાઉથ આફ્રિકા 210 રને સમેટાયુ : ભારત 57/2

SAHAJANAND

બનાસકાંઠા જિલ્લામાં પરાગભાઈ ચૌધરીએ દૂધ ઉત્પાદનમાં પ્રથમ(first in milk production) સ્થાન મેળવ્યુ

SAHAJANAND

ATM Hack : ATM હેક કરી ચોરી કરતી ગેંગ ઝડપાઈ

SAHAJANAND

Leave a Comment