Ram Katha : ગાંધીનગરમાં રામરાજ્યની ઝલક! લોકભવનના ઇતિહાસમાં પહેલીવાર આયોજિત થઈ ભવ્ય રામકથા

ગાંધીનગરના આંગણે આજે એક નવો ઇતિહાસ રચાયો છે. ગુજરાત લોકભવનના ઇતિહાસમાં પ્રથમ વખત મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામની જીવનગાથા ગુંજી ઉઠી છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ પ્રથમ ‘શ્રીરામકથા’નો પ્રારંભ અત્યંત શ્રદ્ધાપૂર્વક કરવામાં આવ્યો છે.
Ram Katha : રામનું જીવન એટલે માત્ર શ્રદ્ધા નહીં, પણ જીવન જીવવાની કળા: રાજ્યપાલ 🐚
Ram Katha : કથાના પ્રથમ દિવસે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શ્રદ્ધાળુઓને સંબોધતા એક ખૂબ જ ગહન વાત કરી. તેમણે જણાવ્યું કે, “શ્રીરામનું જીવન એ માત્ર નમન કરવા માટે નથી, પરંતુ તેને જીવનમાં ઉતારવા માટે છે. તે સાચા અર્થમાં ‘જીવન જીવવાની કળા’ (Art of Living) છે.”. રામાયણના પ્રસંગો દ્વારા આપણે શીખી શકીએ છીએ કે એક આદર્શ પુત્ર, ભાઈ, પતિ અને પ્રજા વત્સલ રાજા કેવા હોવા જોઈએ.
મુખ્યમંત્રીની સાદગીના વખાણ 🤝
Ram Katha : આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. રાજ્યપાલશ્રીએ મુખ્યમંત્રીના જનસેવા પ્રત્યેના સમર્પણ અને સાદગીની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. તાજેતરમાં મુખ્યમંત્રીશ્રીએ ટ્રેનમાં મુસાફરી કરી, એક સામાન્ય ગામડાની શાળામાં રાત્રિ રોકાણ કર્યું અને અનુસૂચિત જાતિ પરિવાર સાથે ભોજન લીધું, તે વાતનો ઉલ્લેખ કરી રાજ્યપાલશ્રીએ તેમને ‘જનતાના માણસ’ ગણાવ્યા હતા.
૨૮ જૂન સુધી ભક્તિની અમૃત વર્ષા 🌧️
Ram Katha : સુપ્રસિદ્ધ કથાવાચક આચાર્ય શ્રી કુલદીપજી મહારાજ પોતાની આગવી શૈલીમાં રામકથાનું રસપાન કરાવી રહ્યા છે. આચાર્યશ્રીનો સમગ્ર પરિવાર વૈદિક પરંપરાઓને જાળવી રાખવા જે કાર્ય કરી રહ્યો છે તેને રાજ્યપાલશ્રીએ બિરદાવ્યું હતું. આ કથા આગામી ૨૮ જૂન સુધી ચાલશે, જેમાં દરરોજ રામભક્તિની અમૃત વર્ષા થશે.
આ કાર્યક્રમમાં યોગ બોર્ડના ચેરમેન શીશપાલ રાજપૂત, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને અનેક મહાનુભાવો સાથે મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા. જો તમે પણ જીવન ઘડતરની પ્રેરણા મેળવવા માંગતા હોવ, તો આ રામકથાનો લ્હાવો લેવા જેવો છે.
Vautha Murder : નજીવી બાબતે ભાણેજે લીધો ફુવાનો જીવ, બુલેટની ચાવી પડી મોંઘી!
