🚨 India : સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ભારતીય નાવિકો પર જોખમ! કેન્દ્ર સરકારે મુસાફરી પર મૂક્યો પ્રતિબંધ 🚢

નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં વધી રહેલા સંકટ અને દરિયાઈ માર્ગો પર થતા હુમલાઓને જોતા ભારત સરકારે એક અત્યંત મહત્વનો અને કડક નિર્ણય લીધો છે. ભારતના મેરીટાઇમ ઓથોરિટીએ તમામ શિપિંગ કંપનીઓને સૂચના આપી છે કે તેઓ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) માંથી પસાર થતા જહાજો પર ભારતીય નાવિકોને તૈનાત કરવાનું બંધ કરે.
🛳️ India : કેમ લેવો પડ્યો આ મોટો નિર્ણય?
India : તાજેતરમાં આ વ્યૂહાત્મક જળમાર્ગમાં બે વેપારી જહાજો, MT Al Bahiyah અને MT Mombasa પર ભયાનક હુમલા થયા હતા. આ હુમલાઓમાં એક ભારતીય નાવિકનું કમનસીબ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 10 ભારતીય નાવિકો ઘાયલ થયા છે. આ બંને જહાજોમાં કુલ 46 ક્રૂ મેમ્બર્સ હતા, જેમાંથી 30 ભારતીય હતા. આ ઘટના બાદ ભારત સરકાર હરકતમાં આવી છે અને નાવિકોની સુરક્ષા માટે આ એડવાઈઝરી બહાર પાડી છે.
📍 શિપિંગ મંત્રીનો મોટો આદેશ: રિયલ-ટાઇમ ટ્રેકિંગ
India : શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલે આ મામલે ગંભીરતા દાખવતા ડાયરેક્ટોરેટ જનરલ ઓફ મેરીટાઇમ એડમિનિસ્ટ્રેશન (DGMA) ને એક વિશેષ ‘રિયલ-ટાઇમ ઓપરેશનલ ડેશબોર્ડ’ તૈયાર કરવા નિર્દેશ આપ્યો છે. આ સિસ્ટમ દ્વારા પર્સિયન ગલ્ફ, હોર્મુઝની સામુદ્રધુની અને ઓમાનના અખાતમાં કાર્યરત દરેક ભારતીય નાવિકનું લોકેશન અને સ્ટેટસ ટ્રેક કરી શકાશે, પછી ભલે તે જહાજ ગમે તે દેશના ધ્વજ હેઠળ હોય.
🛡️ સુરક્ષા માટે કડક સૂચનાઓ
India : DGMA દ્વારા જહાજ માલિકો, મેનેજરો અને ભરતી કરતી કંપનીઓને (RPSL) સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી આગળના આદેશ ન મળે ત્યાં સુધી ભારતીય નાવિકોને આ જોખમી માર્ગ પર ન મોકલવા. આ ઉપરાંત, જે જહાજો હાલમાં તે વિસ્તારમાં છે, તેમના માસ્ટર્સને અત્યંત સતર્ક રહેવા અને ‘ઇન્ટરનેશનલ શિપ એન્ડ પોર્ટ સિક્યોરિટી’ (ISPS) કોડ હેઠળના તમામ સુરક્ષા પગલાં અમલમાં મૂકવા જણાવાયું છે.
Ahmedabad : નગરચર્યાએ નીકળ્યા નાથ, જગન્નાથજીની 149મી રથયાત્રાનો ભવ્ય પ્રારંભ

અમદાવાદમાં ભારે વિરોધ : 6 કરોડ ગુજરાતીઓ ‘અશિક્ષિત’? ખડગેના નિવેદનથી ગુજરાતમાં ભભૂક્યો પ્રચંડ રોષ