સુરેન્દ્રનગર મર્ડર મિસ્ટ્રી: અકસ્માતમાં ખપાવી દીધેલી હત્યાનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ!
🕵️♂️ દોઢ વર્ષ પહેલાં સોંપારી આપી પણ કામ ના થયું, અંતે ‘કાળજું’ પથ્થર કરી પત્નીએ જ પતિને પતાવી દીધો!

સુરેન્દ્રનગર: કહેવાય છે કે ગુનેગાર ગમે તેટલી હોશિયારી વાપરે પણ કાયદાના હાથથી બચી શકતો નથી. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામના શાંતિગીરી ગોસ્વામીના રહસ્યમય મોતનો મામલો હવે એક ભયાનક હત્યાકાંડ તરીકે સામે આવ્યો છે. જે મોતને અત્યાર સુધી માત્ર એક ‘અકસ્માત’ માનવામાં આવતું હતું, તેની પાછળ પત્ની અને તેના પ્રેમીનું ખતરનાક ષડયંત્ર હોવાનું અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શોધી કાઢ્યું છે.
સુરેન્દ્રનગર : કેવી રીતે ફૂટ્યો ભાંડો? 🕵️♀️
સુરેન્દ્રનગર : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળેલી ખાનગી બાતમીના આધારે જ્યારે તપાસ શરૂ કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે શાંતિગીરી ગોસ્વામીનું મોત કોઈ અકસ્માત નહીં પણ સુનિયોજિત હત્યા હતી.

તપાસમાં બહાર આવ્યું કે મૃતકની પત્ની જાગૃતિબેનને કાંજીલાલ ઉર્ફે ભરતભાઈ સાભરિયા સાથે લાંબા સમયથી પ્રેમ સંબંધો હતા. આ ગેરકાયદેસર સંબંધોમાં પતિ અડચણરૂપ બનતો હોવાથી પત્નીએ પ્રેમી સાથે મળીને તેને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવ્યો હતો.

દોઢ વર્ષ પહેલાં પણ સોંપારી આપી હતી! 😲
ચોંકાવનારી વિગત એ છે કે જાગૃતિબેને દોઢ વર્ષ પહેલાં પણ પતિની હત્યા કરાવવા માટે ડીસા-પાલનપુરના મુનુસ મેમણ નામના શખ્સને સોંપારી આપી હતી. જોકે, તે સમયે મુનુસ મેમણે આ કામ કર્યું નહોતું. અંતે, જાગૃતિબેન અને પ્રેમી ભરતભાઈએ પોતે જ આ ગુનાને અંજામ આપવાનું નક્કી કર્યું.

પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ 🧹
હત્યા કર્યા બાદ આ બંને આરોપીઓએ પુરાવાનો નાશ કરવા માટે લાશને કેનાલમાં ફેંકી દીધી હતી જેથી તે અકસ્માત લાગે. એટલું જ નહીં, ગામમાં એવી અફવા પણ ફેલાવી કે શાંતિગીરી પોતાની મરજીથી ઘર છોડીને ક્યાંક ચાલ્યા ગયા છે. પકડાઈ જવાના ડરથી તેમણે પોલીસમાં ગુમ થયાની કોઈ ફરિયાદ પણ કરી નહોતી.

પોલીસ કાર્યવાહી 🚔
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ૧૮/૦૫/૨૦૨૬ના રોજ બંને મુખ્ય આરોપીઓ, કાંજીલાલ ઉર્ફે ભરતભાઈ સાભરિયા અને જાગૃતિબેન ગોસ્વામીની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ.

રાજકોટ : વિધર્મી હેડ કોન્સ્ટેબલે મા-દીકરીની ઈજ્જત લૂંટી, પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યો