પશ્ચિમ બંગાળમાં ‘ડિટેક્ટ, ડિલીટ અને ડિપોર્ટ’ ફોર્મ્યુલા શરૂ! 🚫 સેંકડો બાંગ્લાદેશીઓ દેશ છોડવા મજબૂર 🚩
શું બંગાળમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોનો અંત આવશે? 🛑 હોલ્ડિંગ સેન્ટર બનતા જ બોર્ડર પર લાગી લાંબી કતારો 🛂

સ્વરૂપનગર/કોલકાતા: પશ્ચિમ બંગાળની સરહદો પર અત્યારે ભારે હલચલ જોવા મળી રહી છે. ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા સેંકડો બાંગ્લાદેશીઓએ હવે પોતાનો સામાન બાંધીને પાછા જવાનું શરૂ કરી દીધું છે. ભાજપની નવી સરકારની ‘ડિટેક્ટ, ડિલીટ અને ડિપોર્ટ’ (શોધો, હટાવો અને હાંકી કાઢો) ની વ્યૂહરચનાના અમલને પગલે મંગળવારે ઉત્તર ૨૪ પરગણાના બિથારી-હકીમપુર બોર્ડર પર લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી.
મુખ્યમંત્રીનું કડક અલ્ટીમેટમ: “જલ્દી ભાગો” 📢
ઘુસણખોરી : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ કલ્યાણીમાં એક બેઠક બાદ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે. તેમણે શંકાસ્પદ ઘૂસણખોરોને ઉદ્દેશીને કહ્યું, “જલ્દી જલ્દી ભાગો નહીંતર જે કરવાનું હશે તે સરકાર કરશે.” તેમણે અધિકારીઓને અટકાયત કરાયેલા લોકોના પ્રત્યાર્પણની પ્રક્રિયા ઝડપી બનાવવાનો પણ નિર્દેશ આપ્યો છે.

ઘુસણખોરી : શા માટે બાંગ્લાદેશીઓમાં ડર છે? 😟
ઘુસણખોરી : રાજ્યમાં માલદા અને મુર્શિદાબાદ જિલ્લામાં ગેરકાયદેસર વસાહતીઓ માટે પ્રથમ બે ‘હોલ્ડિંગ સેન્ટર’ (અટકાયત કેન્દ્રો) શરૂ કરવામાં આવ્યા છે. આ કેન્દ્રો શરૂ થતા જ લોકોમાં ફફડાટ ફેલાયો છે. ઘૂસણખોરોને હવે ડર છે કે જો તેઓ પકડાઈ જશે તો તેમને આ કેન્દ્રોમાં રહેવું પડશે. ખુલાનાની વતની તકલીમા ખાતૂન, જે ઘરકામ કરતી હતી, તેણે જણાવ્યું કે તે હોલ્ડિંગ સેન્ટરમાં જવા નથી માંગતી, તેથી તે પોતાની મરજીથી પાછી જઈ રહી છે.
કેવી રીતે થાય છે કાર્યવાહી? 👮♂️
ઘુસણખોરી : મુખ્યમંત્રી અધિકારીના જણાવ્યા અનુસાર, હવે ઘૂસણખોરોને કોર્ટમાં મોકલવાની જરૂર નથી. કાયદામાં એવી જોગવાઈ છે કે પોલીસ સીધી જ તેમને BSF (સીમા સુરક્ષા બળ) ને સોંપી શકે છે. BSF આ લોકોની ઓળખની ખાતરી કરીને તેમને બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડ (BGB) ને સોંપી દેશે. પ્રક્રિયા દરમિયાન તેમના ફિંગરપ્રિન્ટ્સ અને ફોટોગ્રાફ્સ પણ લેવામાં આવે છે.

મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે ગેરકાયદેસર વસાહતીઓને જેલમાં રાખીને તેમને મફત ભોજન અને દવાઓ આપવાનો કોઈ અર્થ નથી. આ કડક કાયદાઓ હંમેશા હતા, પરંતુ રાજકીય સ્વાર્થ માટે તેનો અમલ થતો નહોતો, જે હવે દેશહિતમાં કરવામાં આવી રહ્યો છે.
પાકિસ્તાનના પંજાબમાં પૂરનો ભયાનક ખતરો, હવે બંદૂક નહીં, પાણી બોલશે