ખબરક્રાઈમ

6 હથિયારો અને 21 કારતૂસ સાથે રીઢો ગુનેગાર ‘કાંચીડો’ ઝડપાયો

🚨 Ahmedabad : રથયાત્રા પૂર્વે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ એક્શન મોડમાં: 6 હથિયારો અને 21 કારતૂસ સાથે રીઢો ગુનેગાર ‘કાંચીડો’ ઝડપાયો

Ahmedabad

અમદાવાદ: શહેરમાં આગામી 149મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. રથયાત્રા પહેલા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી રોકવા ખાસ ઝુંબેશ હાથ ધરી છે. આ ઝુંબેશ દરમિયાન અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે.

📍 ઝુંડાલ બ્રીજ નીચેથી થઈ ધરપકડ

Ahmedabad : ક્રાઈમ બ્રાન્ચની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે એસ.પી. રિંગ રોડ પર આવેલા ઝુંડાલ બ્રીજ નીચેથી એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા શખ્સનું નામ કરણસિંહ ઉર્ફે કાંચીડો દીપસિંહ સોલંકી (ઉંમર ૨૭ વર્ષ) છે, જે દેત્રોજ તાલુકાના હઠીપુરા ગામનો રહેવાસી છે.

🔫 શું શું કબજે કરાયું?

Ahmedabad : પોલીસે આરોપી પાસેથી લોખંડના ગેરકાયદેસર હથિયારોનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે, જેમાં:

  • ૪ દેશી તમંચા
  • ૧ પિસ્તોલ
  • ૧ બારબોર તમંચો
  • ૨૧ જીવતા કારતૂસ
  • કુલ મુદ્દામાલ: હથિયારો, મોબાઈલ ફોન અને થેલા સહિત કુલ રૂ. ૮૮,૩૦૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

🚅 ગ્વાલિયર કનેક્શન અને બુટલેગરો સાથે છેડો

Ahmedabad : પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે, આરોપી છેલ્લા દોઢ-બે વર્ષથી ગેરકાયદેસર હથિયારોના વેપાર સાથે સંકળાયેલો છે. તે મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતેથી આ હથિયારો ખરીદીને લાવ્યો હતો. આરોપીનો ઇરાદો આ હથિયારો અમદાવાદ ગ્રામ્ય અને મહેસાણા જિલ્લાના પ્રોહિબિશનના બુટલેગરો, બુકીઓ અને ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા શખ્સોને વેચવાનો હતો.

📂 ગુનાહિત ઇતિહાસ ‘કાંચીડો’

કોઈ સામાન્ય માણસ નથી, પણ કાયદાની નજરમાં રીઢો ગુનેગાર છે. તેની સામે અગાઉ પણ હથિયારોના ગુના, હત્યાની કોશિશ (કલમ ૩૦૭) અને પ્રોહિબિશન સહિતના ૯ જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જેલમાં જઈને જામીન પર છૂટ્યા બાદ તે ફરી ગ્વાલિયરથી હથિયારો લાવી વેચવાનું શરૂ કરી દેતો હતો.

હાલમાં ક્રાઈમ બ્રાન્ચે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે કે આ હથિયારો કોને આપવાના હતા અને તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો.

મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: વાપીમાં ૮ ઈંચથી જળબંબાકાર, રાજ્યના ૨૨૫ તાલુકામાં સાર્વત્રિક વરસાદ

Ad p

Related posts

ગરમીનો પ્રકોપ: આરોગ્ય વિભાગે જાહેર કરી નવી ગાઈડલાઈન, જાણો લૂ થી બચવા શું કરવું અને શું નહીં?

SAHAJANAND RAJPUT

અંબાજી શક્તિ કોરિડોર : અંબાજી ધામની કાયાપલટ: ₹૧૬૩૨ કરોડના ‘શક્તિ કોરિડોર’થી વિશ્વકક્ષાનું પ્રવાસન કેન્દ્ર બનશે આરાસુર

SAHAJANAND RAJPUT

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ઘરફોડ ચોરો પર ત્રાટકી : માણેકબાગમાં કરોડોની ચોરીનો ભેદ ઉકેલાયો | બે શખ્સો ઝડપાયા

SAHAJANAND RAJPUT

Leave a Comment