
Jailed Ministers : ભારતીય રાજકારણમાં જ્યારે કોઈ મંત્રી કે મોટા નેતા જેલના સળિયા પાછળ જાય છે, ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થાય છે કે શું તેઓ પદ પર રહી શકે? અત્યાર સુધી આ બાબતે કોઈ સ્પષ્ટ કાયદો નહોતો, પરંતુ હવે ‘બંધારણ (130મો સુધારો) બિલ’ દ્વારા સરકાર આમાં ફેરફાર કરવા જઈ રહી છે. તાજેતરમાં એક સંસદીય પેનલે આ વિષય પર પોતાની મહત્વની ભલામણો રજૂ કરી છે, જેમાં મંત્રીઓને હટાવવાને બદલે તેમને ‘સસ્પેન્ડ’ કરવાની વાત કરવામાં આવી છે.
🏛️ Jailed Ministers : ‘રિમૂવલ’ નહીં પણ ‘સસ્પેન્શન’: શું છે આ નવો ખેલ?
Jailed Ministers : સંસદીય પેનલે સૂચન આપ્યું છે કે જેલમાં ગયેલા વડાપ્રધાન, મુખ્યમંત્રી કે મંત્રીઓને પદ પરથી કાયમી દૂર કરવાને બદલે તેમને માત્ર નિલંબિત (Suspended) કરવામાં આવે. મૂળ ડ્રાફ્ટમાં 30 દિવસ સતત જેલમાં રહેવા પર પદ છોડવાની વાત હતી, પરંતુ પેનલનું માનવું છે કે જો કોઈ નિર્દોષ હોય અને તેને રાજકીય કિન્નાખોરીને કારણે પકડવામાં આવે, તો તેનું પદ કાયમ માટે છીનવાઈ જવું જોઈએ નહીં. આ માટે પેનલે ‘સનસેટ ક્લોઝ’ (Sunset Clause) અથવા ‘ઓટોમેટિક રિવર્સલ’ ની ભલામણ કરી છે, જે મુજબ જો મંત્રી નિર્દોષ છૂટે અથવા કેસ આગળ ન વધે, તો તેમનું સસ્પેન્શન આપોઆપ રદ થઈ જાય અને તેઓ ફરીથી પદ પર આવી શકે.
🔍 ગંભીર ગુનાઓની વ્યાખ્યા અને ફાસ્ટ ટ્રેક કોર્ટ
Jailed Ministers : આ બિલના વ્યાપને મર્યાદિત કરવા માટે પેનલે **’ગંભીર ફોજદારી ગુનાઓ’**ને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવાની સલાહ આપી છે. તેમજ, બંધારણીય પદ ધરાવતા લોકો સામેના કેસો ચલાવવા માટે ફાસ્ટ-ટ્રેક અથવા સ્પેશિયલ કોર્ટ બનાવવાની તરફેણ કરી છે જેથી વર્ષો સુધી કેસ લટકતા ન રહે. પેનલનું માનવું છે કે રાજકારણના ગુનાખોરીકરણને રોકવા માટે આ પગલાં જરૂરી છે, પરંતુ પ્રક્રિયા દરમિયાન કોઈની સામે અન્યાય ન થવો જોઈએ. જોકે, ગૃહ મંત્રાલયે ‘સસ્પેન્શન’ શબ્દ સામે વાંધો ઉઠાવ્યો છે, કારણ કે તેનો અર્થ એ થાય કે વ્યક્તિ પાસે કાનૂની હોદ્દો તો રહે છે પણ તે કામ કરી શકતી નથી.
US Iran : અમેરિકાના ઈરાન પર ૧૪૦ વળતા પ્રહાર, દુનિયામાં ફફડાટ!
