33 C
Ahmedabad
March 17, 2024
NEWSPANE24
News Gujarat

Corona : ગુજરાતમાં નવા 6,679 કેસ : 35 ના મોત

corona SOP
SHARE STORY

corona awareness

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના(Corona) સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો જોવા મળતા આજે નવા સંક્રમિતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાતા 6,679 કેસ નવા નોંધાયા છે. જ્યારે મૃત્યુની સંખ્યામાં વધારો જોવા મળતા 35 લોકોના મોત થયા છે. પાછલા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં 29% જેટલો ઘટાડો થતા કાલના 9,395 ની સરખામણીમાં આજે 6,679 કેસ નવા સામે આવ્યા છે.

corona SOP

અમદાવાદ કર્પોરેેશનમાં સૌથી વધુ 2,350 કોરોનાના કેસ

ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ 2,350 અમદાવાદ કોર્પોરેશન ખાતે નોંધાયા છે. ત્યારબાદ વડોદરા કોર્પોરેશનમાં 809, રાજકોટ કોર્પોરેશનમાં 602, સુરત કોર્પોરેશનમાં 277, વડોદરામાં 236, સુરત જીલ્લામાં 141, કચ્છમાં 211, આણંદમાં 44, ભરુચમાં 79, મહેસાણામાં 144, ગાંધીનગર કોર્પોરેશનમાં 288, જામનગર કોર્પોરેશનમાં 113 જ્યારે ભાવનગર કોર્પોરેશનમાં 76 કેસ નોંધાયા છે.

Corona

રાજ્યમાં કોરોનાના એક્ટિવ કુલ કેસ 83,793 : સાજા થવાનો દર 91.88%

આ સાથે રાજ્ય(Gujarat)માં હાલ કોરોનાCorona)ના એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 91,320 પર પહોંચી છે, જેમાં 265 દર્દીઓ વેન્ટિલેટર(Ventilator) પર, જ્યારે સ્ટેબલ અવસ્થામાં 83,528 દર્દીઓ છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 10,66,393 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે, જ્યારે 10,473 લોકો કોરોનાનો ભોગ બની ચૂક્યા છે. કોરોનાથી સાજા થવાનો દર 90થી ઉપર આવી જતા હાલ 91.88% છે.

Corona

કોરોનાને નાથવા સાવચેતી રાખી આપનું અને આપના પરિવારનુ રક્ષણ કરો

કોરોના સંક્રમણથી પોતાને અને પોતાના પરિવારને બચાવવા માસ્ક અચૂક પહોરો, સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન કરો, વારંવાર સાબુતી હાથ ધોવાનું રાખો, છીંક કે ઉધરસ ખાતી વખતે આપના નાક-મોઢાને કવર કરી ઢાંકવાની ટેવ પાડો, વારંવાર તમારી આંખને સ્પર્ષ કરવાથી બચો અને જરુરી ન હોય તો ધરની બહાર નીકળવાનું ટાળો. આપ સુરક્ષિત રહેશો તો આપનું પરિવાર સુરક્ષિત રહેશે, પરિવાર સુરક્ષિત રહેશે તો મહોલ્લો, શેરી કે સોસાયટી સુરક્ષિત રહેશે, સોસાયટી સુરક્ષિત રહેશે તો ગામ, જીલ્લો અને રાજ્ય સહિત દેશ સુરક્ષિત રહેશે. કોરોના સામે લડવા દેશની સુરક્ષા માટે આગળ આવો, જાગૃત રહો અને જાગૃતિ ફેલાવો.

corona awareness

કોરોના અંગે જીલ્લાવાર આંકડા

corona numbers

તાજા સમાચાર

આજે કુલ 2,46,397 લોકોનું રસીકર(Vaccination)

corona vaccination numbers 31 January

રાજ્યમાં આજે કુલ 2,46,397 લોકોનું સરસીકરણ(Vaccination) કરવામાં આવ્યુ છે. જ્યારે અત્યાર સુધી કુલ 9,79,33,236 લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ છે.

આ પણ જુઓ

Corruption : ગાંધીનગરના ફાયર બ્રિગેડના ઓફિસર સહિત બે જણા પાંચ લાખની લાંચ લેતાં એ.સી.બી.ની જાળમાં ઝડપાયા


SHARE STORY

Related posts

Agriculture : સરકાર લધુત્તમ ટેકાના ભાવથી ચણાની ખરીદી કરશે

SAHAJANAND

IND vs SA ત્રીજી ટેસ્ટ : IND પ્રથમ દાવમાં 223, SA 17/1

SAHAJANAND

Alcohol party : બેઝમેન્ટમાં દારૂની મહેફીલ માણતા 6 નબીરાઓને ઝડપી લેતી લક્ષ્મીપુરા પોલીસ

SAHAJANAND

મણિનગરની હોટલમાં કર્યુ રાત્રી રોકાણ : પછી કરી..? (Theft at the hotel)

SAHAJANAND

Leave a Comment