Dhanvantari Ayurveda College : ૧૮૮ વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુરક્ષિત, જાણો શું છે મામલો? 🏥

ગાંધીનગર: મહીસાગર જિલ્લાના કોયડમ સ્થિત ધનવંતરી આયુર્વેદ કોલેજમાં અભ્યાસ કરતા ૧૮૮ વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. લાંબા સમયથી લટકતી તલવાર જેવી સ્થિતિ વચ્ચે, ગુજરાત સરકારના આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જાહેરાત કરી છે કે આ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ બગડવા દેવામાં આવશે નહીં.
Dhanvantari Ayurveda College : શું હતો સમગ્ર વિવાદ? 🔍
Dhanvantari Ayurveda College : આ કોલેજ સપ્ટેમ્બર-૨૦૨૫થી સંપૂર્ણપણે બંધ હાલતમાં હતી, જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ અને ચિંતા જોવા મળતી હતી. વિદ્યાર્થીઓની વારંવારની ફરિયાદો બાદ તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી, જેણે સ્પષ્ટ ભલામણ કરી હતી કે વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં તેમને અન્ય કોલેજોમાં ખસેડવા જરૂરી છે.
‘સુપરન્યુમરી’ બેઠકો પર અપાશે પ્રવેશ ✍️
Dhanvantari Ayurveda College : ભારત સરકારના આયુષ મંત્રાલય અને NCISM દ્વારા આ વિદ્યાર્થીઓ માટે ખાસ ‘સુપરન્યુમરી’ (Supernumerary) બેઠકો મંજૂર કરવામાં આવી છે. આનો અર્થ એ કે વિદ્યાર્થીઓને અન્ય માન્યતા પ્રાપ્ત સેલ્ફ-ફાઇનાન્સ આયુર્વેદ કોલેજોમાં ટ્રાન્સફર કરવામાં આવશે જેથી તેમનો અભ્યાસ અને ઇન્ટર્નશિપ અટક્યા વગર ચાલુ રહી શકે.
ફી અને મેરિટના કડક નિયમો ⚖️
Dhanvantari Ayurveda College : આ ટ્રાન્સફર પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે:
- વિદ્યાર્થીઓને તેમના NEET રેન્ક અથવા મેરિટના આધારે જ બેઠકો ફાળવવામાં આવશે.
- સૌથી મહત્વની વાત એ છે કે, વિદ્યાર્થીઓએ નવી કોલેજમાં પણ જૂની કોલેજની જ નિયત ફી ભરવાની રહેશે.
- હાજરીની ઘટ (Shortage of Attendance) અને ઇન્ટર્નશિપ અંગેના નિર્ણયો ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગર દ્વારા લેવામાં આવશે.
નિયમો તોડનાર કોલેજ સામે કડક કાર્યવાહી 🚫
રાજ્ય સરકારે માત્ર વિદ્યાર્થીઓને બચાવ્યા નથી, પરંતુ નિયમોનું ઉલ્લંઘન કરનાર ધનવંતરી આયુર્વેદ કોલેજ સામે લાલ આંખ કરી છે. આ કોલેજનું જોડાણ (Affiliation) રદ કરવાની વહીવટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ‘ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી એક્ટ-૨૦૨૧’ હેઠળ આ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે.
Crime News : ભાણીની છેડતીનો વિરોધ કરનાર આનંદની હત્યા ? રોષે ભરાયેલા ટોળાએ આરોપીનું ઘર ફૂંકી માર્યું
