અમદાવાદ : સોશિયલ મીડિયાનો ‘લવ ગુરુ’ નીકળ્યો મોટો ઠગ: મહિલાઓને નગ્ન કરી વીડિયો બનાવી કરતો બ્લેકમેલ 😱
‘પૂજા કિન્નર’ બની ખેલાતો ગંદો ખેલ: પ્રેમ અને વશીકરણના નામે અમદાવાદની મહિલાઓ સાથે લાખોની છેતરપિંડી 🎭
₹50 લાખની લૂંટ અને હજારો મહિલાઓ ટાર્ગેટ: ઇન્સ્ટાગ્રામ પર ‘લવ ગુરુ’ બની ફરતા ઠગનો અમદાવાદ પોલીસે ભાંડો ફોડ્યો 🚨

અમદાવાદ : આજકાલ સોશિયલ મીડિયા પર અનેક લોકો પોતાની સમસ્યાઓના ઉકેલ શોધતા હોય છે, પરંતુ સાવધ રહેવાની જરૂર છે, કારણ કે તમારી એક ભૂલ તમને બ્લેકમેલિંગના જાળમાં ફસાવી શકે છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે તાજેતરમાં એક એવા જ “લવ ગુરુ” નામે ચાલતા ખતરનાક ઠગાઈ અને બ્લેકમેલિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે.
🎭 ‘પૂજા કિન્નર’ બનીને મહિલાઓને શિકાર બનાવતો હતો ઠગ
અમદાવાદ: પકડાયેલ આરોપી રાજનીશ ગોવિંદલાલ ભાર્ગવાએ સોશિયલ મીડિયા પર પોતાની અસલી ઓળખ છુપાવી હતી. તે ઇન્સ્ટાગ્રામ પર “astrologer_pooja_kinnar_maa” જેવા એકાઉન્ટ બનાવી પોતે “કિન્નર ગુરુમા” હોવાનું નાટક કરતો હતો. લોકોની લાગણીઓ સાથે રમીને તે પ્રેમ સંબંધ, લગ્ન કે ડિવોર્સ જેવી વ્યક્તિગત સમસ્યાઓના ઉકેલ માટે “વશીકરણ વિધિ” કરવાનું બહાનું આગળ ધરતો હતો.

અમદાવાદ : 60 થી વધુ મહિલાઓ દરરોજ બનતી હતી શિકાર! 💸
અમદાવાદ : તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જાહેરાતો આપી ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ કરતો હતો. તે દરરોજ આશરે 300 મહિલાઓનો સંપર્ક કરતો, જેમાંથી 60-65 મહિલાઓને પોતાની જાળમાં ફસાવી ₹3,000 થી ₹15,000 સુધીની રકમ પડાવતો હતો. છેલ્લા અઢી વર્ષમાં આ ગેંગે લોકો પાસેથી અંદાજે ₹40 થી 50 લાખ ખંખેરી લીધા હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે.

🔞 ‘શુદ્ધિકરણ વિધિ’ના નામે અશ્લીલ વીડિયો અને બ્લેકમેલિંગ
આરોપીની મોડસ ઓપરેન્ડી અત્યંત ગંદી હતી. વાતચીત દરમિયાન તે પીડિતાના અંગત ફોટા મેળવી લેતો. ત્યારબાદ વિડિયો કોલ પર ‘શુદ્ધિકરણ વિધિ’ના નામે મહિલાઓને કપડાં ઉતારવા દબાણ કરતો અને તેનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી અશ્લીલ વીડિયો બનાવી લેતો હતો. આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી તે લાખો રૂપિયાની ખંડણી માંગતો હતો. તાજેતરમાં જ એક પીડિતા પાસેથી તેણે ₹1,43,951 પડાવ્યા હતા.

🚔 રાજસ્થાનના બિકાનેરથી ધરપકડ
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ તપાસના આધારે આરોપી રાજનીશ ભાર્ગવાને રાજસ્થાનના બિકાનેરમાંથી ઝડપી પાડ્યો છે. આ ગેંગમાં કુલ 3 સભ્યો હોવાનું ખૂલ્યું છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર આવા કોઈ પણ અજાણ્યા “લવ ગુરુ” કે તાંત્રિકોના સંપર્કમાં ન આવવું અને પોતાની ખાનગી માહિતી ક્યારેય શેર ન કરવી.

UAE માં ઇરાની હુમલો અને ભારતનો કડક મિજાજ: ૩ ભારતીયો ઘાયલ, પીએમ મોદીની વિશ્વને અપિલ