યલો એલર્ટ : સાવધાન અમદાવાદીઓ! 🛑 બપોરે 12 થી 4 ઘરની બહાર ન નીકળતા, તંત્ર દ્વારા આકરી માર્ગદર્શિકા જાહેર 🥵
🔥 યલો એલર્ટ વચ્ચે મ્યુનિસિપલ કમિશનરનો શ્રમિકો માટે મોટો આદેશ 👷♂️

અમદાવાદ: શહેરમાં ઉનાળાએ હવે તેનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે. જાણે આખું અમદાવાદ ભઠ્ઠીમાં શેકાઈ રહ્યું હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગ (IMD) દ્વારા આજથી શહેરમાં સત્તાવાર રીતે ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આગામી પાંચ દિવસ સુધી તાપમાનનો પારો 40 થી 42 ડિગ્રી સુધી જવાની પૂરેપૂરી શક્યતા છે.
🏥 યલો એલર્ટ : આરોગ્ય તંત્ર ચિંતામાં: 5 દિવસમાં 70 લોકો બીમાર
યલો એલર્ટ : વધતી ગરમીની સીધી અસર અમદાવાદીઓના સ્વાસ્થ્ય પર પડી રહી છે. છેલ્લા માત્ર 5 દિવસમાં જ અશક્તિ, ચક્કર આવવા અને ઉલટી-ઝાળાના કુલ 70 કેસ નોંધાયા છે. જોકે, તંત્ર માટે રાહતની વાત એ છે કે હજુ સુધી હીટ સ્ટ્રોકનો કોઈ ગંભીર કિસ્સો સામે આવ્યો નથી. સાવચેતીના ભાગરૂપે સિવિલ અને એલ.જી. હોસ્પિટલમાં સ્પેશિયલ ‘હીટ વેવ વોર્ડ’ તૈયાર કરી દેવામાં આવ્યા છે.

👷♂️ શ્રમિકો માટે નવા નિયમો અને ગ્રીન શેડનો આદેશ
મ્યુનિસિપલ કમિશનર દ્વારા બાંધકામ સાઇટો માટે કડક સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. શ્રમિકોને ગરમીથી બચાવવા માટે સાઇટ પર ફરજિયાત ગ્રીન શેડ (લીલી જાળી) બાંધવા અને પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરવા જણાવાયું છે. એટલું જ નહીં, બપોરના આકરા તડકા દરમિયાન કામના કલાકોમાં ફેરફાર કરવા પણ આદેશ અપાયો છે.

🥤 લોકોએ શું સાવચેતી રાખવી? (એડવાઈઝરી) તંત્રએ નાગરિકોને ખાસ અપીલ કરી છે કે:

- બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન અત્યંત જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવું.
- શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવા માટે લીંબુ શરબત, છાસ અને નાળિયેર પાણી જેવા પ્રવાહીનું વધુ સેવન કરવું.
- છૂટક બજારમાં લીંબુના ભાવ ₹300 ને પાર પહોંચ્યા હોવા છતાં સ્વાસ્થ્ય માટે તેનો ઉપયોગ હિતાવહ છે.

મે મહિનામાં ગરમી હજુ પણ વધવાની શક્યતા હોવાથી અત્યારથી જ સાવચેતી રાખવી અનિવાર્ય છે.
કિન્નરોની ‘બધાઈ’ પર હાઈકોર્ટની લાલ આંખ: પૈસા માંગવા એ કાયદેસરનો અધિકાર નથી