ક્રાઈમખબર

બિહારના મુખ્યમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી, સાણંદ પોલીસે ‘ધમકીબાજ’ શેખર યાદવને દબોચી લીધો

🚨 સાણંદ : બિહારના નવા મુખ્યમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સ સાણંદથી ઝડપાયો! 🚔

ખેલ ખતમ! મુખ્યમંત્રીને જાનથી મારવાની ધમકી આપી ગુજરાતમાં છુપાયેલો શખ્સ હવે જેલના સળિયા ગણશે ⛓️

ધમકી આપીને છટકી જવાનું ભૂલી જજો! પોલીસે બિહારના ‘શેખર’ને સાણંદ-કડી રોડ પરથી ફિલ્મી ઢબે દબોચ્યો 🚔

Bihar CM T

અમદાવાદ: ગુજરાતની સણંદ પોલીસે એક મોટી સફળતા હાંસલ કરી છે.બિહાર રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રીને મોબાઈલ ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સને સાણંદ પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે. આ બનાવને પગલે બિહાર અને ગુજરાત પોલીસમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

📞 મોબાઈલ પર આપી હતી જાનથી મારી નાખવાની ધમકી

બિહારના મુંગેર જિલ્લાના સંગ્રામપુર પોલીસ સ્ટેશન ખાતે મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને ધમકી આપવા બાબતે ગુનો નોંધાયો હતો. આરોપીએ મોબાઈલ ફોન દ્વારા મુખ્યમંત્રીને ટાર્ગેટ કર્યા હતા, જેની ગંભીરતા જોઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ એક્શનમાં આવ્યા હતા. અમદાવાદ વિભાગના આઈજી રાઘવેન્દ્ર વત્સ અને જિલ્લા પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ દ્વારા આ કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

સાણંદ

📍 સાણંદ-કડી રોડ પરથી ઝડપાયો આરોપી શેખર યાદવ

પોલીસ સ્ટેશનના પી.આઈ. બી.ટી. ગોહિલ અને તેમની ટીમે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું. પોલીસને માહિતી મળી હતી કે આરોપી સાણંદ-કડી રોડ પર છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ત્યાંથી શેખર યાદવ નામના ૩૨ વર્ષીય યુવકને ઝડપી પાડ્યો હતો.

સાણંદ

આરોપી શેખર યાદવ મૂળ બિહારના બાંકા જિલ્લાનો રહેવાસી છે અને હાલમાં નિધરાડ ગામ પાસે એક ટ્રાન્સપોર્ટની ગાડીમાં રહીને મજૂરી કામ કરતો હતો.

⚖️ ભારતીય ન્યાય સંહિતા હેઠળ નોંધાયો ગુનો

સાણંદ

આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ (BNS) ની વિવિધ કલમો જેવી કે ૩૫૧(૨), ૩૫૧(૩), ૩૫૧(૪), ૩૫૨, ૩૫૩ અને ૨૨૪ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સાણંદ પોલીસે આરોપીની કડક પૂછપરછ કર્યા બાદ તેણે પોતાનો ગુનો કબૂલ્યો હતો. હાલમાં પોલીસે આરોપીને રાઉન્ડ-અપ કરી આગળની કાર્યવાહી માટે બિહાર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

👏 પોલીસની પ્રશંસનીય કામગીરી

સાણંદ

મુખ્યમંત્રી જેવી હાઈ-પ્રોફાઈલ વ્યક્તિને ધમકી આપવાના કેસમાં ગણતરીના કલાકોમાં આરોપીને શોધી કાઢવા બદલ સમગ્ર પોલીસ ટીમની પ્રશંસા થઈ રહી છે. સાણંદ પોલીસના આ સચોટ ઓપરેશને ગુનેગારોમાં ફફડાટ ફેલાવી દીધો છે.

મતદાન માટે ઓફિસથી મળશે રજા! જાણો શ્રમ કમિશનરનો કર્મચારીઓ માટેનો નવો આદેશ

Related posts

સબરીમાલા મહા-સુનાવણી : શું પરંપરાઓ બદલાશે કે શ્રદ્ધા અકબંધ રહેશે?

SAHAJANAND RAJPUT

હોર્મુઝ સમુદ્રી માર્ગ પર વસૂલવાનું શરૂ કર્યું ‘ટોલ’, ઈરાનની નવી દાદાગીરી અને અમેરિકાની ચેતવણી

SAHAJANAND RAJPUT

ગાંધીનગરમાં ચૂંટણી જંગ જામ્યો : 24 કલાક કંટ્રોલ રૂમ તૈયાર

SAHAJANAND RAJPUT

Leave a Comment