ક્રાઈમ

ક્રાઈમ બ્રાન્ચ : એલીસબ્રીજમાં થયેલી ₹7.38 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ને મોટી સફળતા: એલીસબ્રીજમાં થયેલી ₹7.38 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ રીઢા તસ્કરો ઝડપાયા

ક્રાઈમ બ્રાન્ચ ચોરી નો ગુનો ઉકેલ્યો

વિદેશ ગયેલા મકાનમાલિકના બંધ ઘરને બનાવ્યું હતું નિશાન

અમદાવાદ શહેરના એલીસબ્રીજ વિસ્તારમાં આશરે સાડા પાંચ મહિના પહેલા થયેલી એક મોટી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ને સફળતા મળી છે. એલીસબ્રીજની પ્રીતમ નગર સોસાયટીમાં રહેતા અને હાલ વિદેશ ગયેલા એક મકાનમાલિકના બંધ ઘરના દરવાજાનું તાળું તોડી તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચે આ ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપીલેવાયેલા આરોપીઓ અને મુદ્દામાલમાં કબજે કરાયેલ રીક્ષા
ક્રાઈમ બ્રાંન્ચે ઝડપી લીધેલા આરોપીઓ અને ચોરીમાં ઉપયોગ કરાયેલી રીક્ષા

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સોના-ચાંદીના દાગીના અને રિક્ષા સહિત ₹7.38 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹7,38,500 ની કિંમતનો મુદ્દામાલ રિકવર કર્યો છે. જપ્ત કરાયેલી ચીજવસ્તુઓની વિગત નીચે મુજબ છે:

4 1

• સોનાનું મંગળસૂત્ર: ₹1,83,000

• સોનાનો હાર: ₹2,05,000

• સોનાની 3 બંગડીઓ: ₹2,85,000

• રણછોડરાયજીના ચિત્રવાળું સોનાનું પેન્ડલ: ₹34,000

• ચાંદીના સિક્કા અને અન્ય દાગીના. આ ઉપરાંત, ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાયેલી સીએનજી ઓટો રિક્ષા (GJ-27-Y-0424) અને ઘરફોડ માટે વપરાતા ડિસમિસ પણ કબજે કરવામાં આવ્યા છે.

આ પણ જુઓ

કસાબ વિશે આ શાંભળ્યુ છે..?

ક્રાઈમ બ્રાન્ચ : ઝડપાયેલા આરોપીઓની વિગત

ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે નીચેના ત્રણ શખ્સોની ધરપકડ કરી છે:

3 1

1. કરણ ઉર્ફે ટોકો: રહે. શાહપુર, અમદાવાદ.

2. જયેશ ઉર્ફે બડિયો: રહે. માધવપુરા, અમદાવાદ.

3. ધર્મેશ ઉર્ફે જગો: રહે. વાસણા, અમદાવાદ.

2 2

ઝડપાયેલા આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ

પકડાયેલા તસ્કરોનો ગુનાહિત ઈતિહાસ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ રીઢા ગુનેગાર છે અને અગાઉ પણ અનેક ચોરીના ગુનામાં સંડોવાયેલા છે. આરોપી જયેશ ઉર્ફે બડિયો સામે વાડજ, નવરંગપુરા અને નારણપુરા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગુના નોંધાયેલા છે. જ્યારે ધર્મેશ ઉર્ફે જગો સામે મણિનગર, સેટેલાઈટ, એલીસબ્રીજ, નવરંગપુરા અને નારણપુરા પોલીસ સ્ટેશનમાં અસંખ્ય ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. હાલમાં આ તમામ આરોપીઓને આગળની કાર્યવાહી માટે એલીસબ્રીજ પોલીસ સ્ટેશન સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Related posts

11 વર્ષની માસુમના બળાત્કારી કાતિલનું એન્કાઉન્ટર

SAHAJANAND RAJPUT

Psycho Killer : એક પછી એક 8 મોત, કોઈને ન પડી શંકા! સાયકો કિલરનો ખુલાસો થતાં પોલીસ પણ ચોંકી ગઈ

SAHAJANAND RAJPUT

એન્કાઉન્ટર : ‘બકરો હલાલ થતો જોયો છે?’ કહી સુર્યાની હત્યા કરનાર અસદ ઠાર મરાયો

SAHAJANAND RAJPUT

Leave a Comment