
Supreme Court : દેશની રાજધાનીમાં વિરોધ પ્રદર્શનના કેન્દ્ર સમાન ‘જંતર મંતર’ પર થયેલા લાઠીચાર્જ અને હિંસાના મામલે સુપ્રીમ કોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે જે લોકો પર ગંભીર અને જઘન્ય ગુનાઓના આરોપ છે, તેમની સામેની FIR કોઈ પણ સંજોગોમાં પાછી ખેંચવામાં આવશે નહીં.
Supreme Court : FIR વિડ્રોઅલ પર લાલ આંખ 🧐
Supreme Court : સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી કરતા જણાવ્યું કે શાંતિપૂર્ણ પ્રદર્શનના નામે પોલીસ પર હુમલા કે સરકારી મિલકતને નુકસાન પહોંચાડનારાઓને માફ કરી શકાય નહીં. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે, અંદાજે 2700 થી વધુ FIR એવા લોકો વિરુદ્ધ છે જેમણે પથ્થરમારો કર્યો હતો અથવા જેમનો ગુનાહિત ઇતિહાસ રહ્યો છે. કોર્ટે કહ્યું કે આવા કેસોમાં તપાસ થવી અનિવાર્ય છે જેથી ષડયંત્રના મૂળ સુધી પહોંચી શકાય.
શું લાઠીચાર્જ અને પેલેટ ગનનો ઉપયોગ યોગ્ય છે? 👮♂️
Supreme Court : પ્રદર્શનકારીઓ દ્વારા લગાવવામાં આવેલા પોલીસ અત્યાચારના આરોપો પર કોર્ટે એક વ્યાપક દૃષ્ટિકોણ અપનાવ્યો છે. કોર્ટે નોંધ્યું કે ભીડને નિયંત્રિત કરવા માટે લાઠીચાર્જ કે પેલેટ ગન જેવા સાધનો આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત પદ્ધતિઓ છે. જોકે, ભવિષ્યમાં આવા સંઘર્ષો ટાળવા માટે સુપ્રીમ કોર્ટ તમામ જૂના ચુકાદાઓની સમીક્ષા કરીને એક નવો પ્રોટોકોલ તૈયાર કરશે.
જંતર મંતર પર પ્રદર્શન પર પ્રતિબંધની શક્યતા? 🚫
Supreme Court : એક મહત્વની અરજી પર સુનાવણી કરતા ચીફ જસ્ટિસે જંતર મંતરને પ્રદર્શનના સ્થળ તરીકે બંધ કરવાના મુદ્દે નોટિસ જાહેર કરી છે. જંતર મંતર પાસે રહેતા રહીશોની સુવિધા અને કનોટ પ્લેસમાં થતા ટ્રાફિક જામને ધ્યાને લેતા કોર્ટ આ પ્રદર્શનોને બુરારી કે રામલીલા મેદાન ખસેડવા પર વિચાર કરી રહી છે. 2017 માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) એ પણ અવાજ અને પ્રદૂષણને કારણે અહીં પ્રદર્શન પર પ્રતિબંધ લગાવ્યો હતો.
આયોજકોની જવાબદારી નક્કી થશે 🔍
Supreme Court : કોર્ટે આયોજકો (જેમ કે સૌરવ દાસ અને અભિજીત દીપકે) ની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા છે. કોર્ટે પૂછ્યું કે જ્યારે શાંતિપૂર્ણ પ્રદર્શન હિંસક બને છે, ત્યારે આયોજકોએ તેને રોકવા શું કર્યું?. વિરોધ કરવાનો અધિકાર (Article 19(1)(b)) ચોક્કસ છે, પરંતુ તે દેશની અખંડિતતા અને જાહેર વ્યવસ્થાને નુકસાન પહોંચાડી શકે નહીં.
Passport : પાસપોર્ટ વેરિફિકેશન માટે હવે પોલીસ સ્ટેશનના ધક્કા બંધ
