
Jivan Aastha : ‘જીવન આસ્થા’ – ગુજરાતની એવી હેલ્પલાઇન જે મૃત્યુના મુખમાંથી ખેંચી લાવે છે બહાર ✍️
અમદાવાદ: ક્યારેક જીવન અને મૃત્યુ વચ્ચેનું અંતર માત્ર એક ફોન કોલ જેટલું હોય છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા સંચાલિત ‘જીવન આસ્થા સુસાઇડ પ્રિવેન્શન એન્ડ મેન્ટલ હેલ્થ હેલ્પલાઇન’ આજે માનસિક તણાવ અને હતાશા અનુભવતા નાગરિકો માટે આશાનો મજબૂત આધાર બની છે.
📊 Jivan Aastha : આંકડા બોલે છે: હજારો પરિવારોમાં છવાઈ ખુશી
Jivan Aastha : વર્ષ 2015માં શરૂ થયેલી આ સેવાએ છેલ્લા 11 વર્ષોમાં અનેક વિક્રમો સ્થાપ્યા છે. આંકડાઓ પર નજર કરીએ તો, વર્ષ 2025માં 18,000 કોલ્સ પ્રાપ્ત થયા હતા, જ્યારે વર્ષ 2026માં અત્યાર સુધીમાં આ આંકડો 19,526 પર પહોંચ્યો છે. માત્ર છેલ્લા બે વર્ષમાં જ ગુજરાત પોલીસ અને જીવન આસ્થાની ટીમે 40 જેટલા અત્યંત ગંભીર કિસ્સાઓમાં સ્થળ પર પહોંચીને લોકોના જીવ બચાવ્યા છે.
🌉 હોર્ડિંગે બચાવ્યો 27 વર્ષની યુવતીનો જીવ
Jivan Aastha : તાજેતરમાં અમદાવાદના જમાલપુર બ્રિજ પર એક અદ્ભુત કિસ્સો બન્યો. પારિવારિક મુશ્કેલીઓથી કંટાળેલી એક 27 વર્ષની યુવતી આત્મહત્યા કરવા બ્રિજ પર પહોંચી હતી. તેની નજર રસ્તા પર લાગેલા જીવન આસ્થાના હોર્ડિંગ પર પડી. તેણે તુરંત 1800-233-3330 નંબર ડાયલ કર્યો. કાઉન્સેલરે તેને વાતોમાં પરોવી રાખી અને બીજી તરફ પોલીસ કંટ્રોલ રૂમ સાથે સંકલન કરીને તેને સલામત રીતે રેસ્ક્યૂ કરી લીધી.
🌊 કેનાલ પર પહોંચેલી માતા અને બાળકોનું નવું જીવન
Jivan Aastha : આવો જ એક બીજો પ્રસંગ ઝુંડાલ કેનાલ પર બન્યો, જ્યાં એક માતા પોતાના દિવ્યાંગ બાળક સાથે આત્મહત્યા કરવા પહોંચી હતી. જીવન આસ્થાના કાઉન્સેલરે ફોન પર સતત વાત કરીને તેને શાંત રાખી અને પીસીઆર વાન પહોંચી ત્યાં સુધી તેને જીવન જીવવાની પ્રેરણા આપી.
💖 જીવન આસ્થા: માત્ર હેલ્પલાઇન નહીં, એક હૂંફાળો સાથ
Jivan Aastha : જીવન આસ્થા એ સંદેશ આપે છે કે માનસિક તણાવ એ કોઈ નબળાઈ નથી. મુશ્કેલી ગમે તેવી હોય, મદદ માટે એક હાથ હંમેશા તૈયાર છે. 24 કલાક કાર્યરત આ નિઃશુલ્ક હેલ્પલાઇન નંબર 1800-233-3330 પર કોઈપણ વ્યક્તિ ગોપનીય રીતે વાત કરી શકે છે.

Ahmedabad : અમદાવાદમાં દારૂના દરિયા પર બુલડોઝર: 5 કરોડથી વધુનો મુદ્દામાલ થયો ખાખ
