ક્રાઈમખબર

Ahmedabad : શાહીબાગમાં PM આવાસ યોજનાના નામે રૂ. 4.07 લાખની લાંચ લેતો શખ્સ ACBની જાળમાં ફસાયો

Ahmedabad

Ahmedabad : અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન મેળવવાની આશા રાખીને બેઠેલા સામાન્ય નાગરિકોની મજબૂરીનો ગેરફાયદો ઉઠાવતા એક ખાનગી વ્યક્તિનો એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. તારીખ 16 સપ્ટેમ્બર 2026ના રોજ એસીબીની ટીમે શાહીબાગ સ્વામિનારાયણ મંદિર ગેટ નંબર-3 નજીક છટકું ગોઠવીને રૂ. 4,07,500/-ની લાંચની રકમ સ્વીકારતા આરોપીને સ્થળ પર જ રંગેહાથ ઝડપી પાડ્યો છે.

🏢 સરકારી મકાન અપાવવાની લાલચ આપી લાખો રૂપિયા પડાવ્યા

Ahmedabad : મળતી વિગતો અનુસાર, આ કામે ફરિયાદીએ અગાઉ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન મેળવવા માટે ફોર્મ ભરેલું હતું, પરંતુ તેઓને મકાન મળેલ નહોતું. આ દરમિયાન તેઓ નારણપુરા ખાતે રહેતા ખાનગી વ્યક્તિ સુરેશકુમાર દશરથભાઈ પંડ્યાના સંપર્કમાં આવ્યા હતા.

આરોપી સુરેશ પંડ્યા (રહે. 76, હરિશ્ચંદ્ર પાર્ક, પ્રગતિનગર, નારણપુરા, અમદાવાદ) એ ફરિયાદીને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સેટિંગ કરીને મકાન ફાળવી આપવાનો ભરોસો આપ્યો હતો. આ ભરોસાના આધારે આરોપીએ ફરિયાદી પાસેથી અગાઉ રૂ. 3,82,500/- લાંચ પેટે મેળવી લીધા હતા.

અટલું જ નહીં, આરોપીએ અન્ય એક સાહેદને પણ આ જ યોજના હેઠળ મકાન અપાવવાનો વિશ્વાસ આપી તેમની પાસેથી રૂ. 5,75,000/- ની માંગણી કરી હતી. ત્યારબાદ બંને પક્ષો વચ્ચે થયેલી રકઝકના અંતે રૂ. 4,07,500/- ની લાંચની રકમ નક્કી કરવામાં આવી હતી.

🏛️ શાહીબાગ સ્વામિનારાયણ મંદિર ગેટ નંબર-3 પાસે ગોઠવાયું ગુપ્ત છટકું

Ahmedabad : જોકે, ફરિયાદી તથા સાહેદ આ લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી તેઓએ હિંમત દાખવીને એન્ટી કરપ્શન બ્યુરો (ACB)નો સંપર્ક કર્યો હતો. જાગૃત નાગરિકની ફરિયાદના આધારે એસીબીની ટીમે તુરંત હરકતમાં આવીને તા. 16/09/2026ના રોજ લાંચનું સફળ છટકું ગોઠવ્યું હતું.

ગુનાના સ્થળ મોજે શાહીબાગ સ્વામિનારાયણ મંદિર ગેટ નંબર-3 પાસે આવેલ સીડી ઉપર આરોપી સુરેશ પંડ્યા ફરિયાદી પાસેથી નક્કી થયેલી લાંચની રકમ રૂ. 4,07,500/- સ્વીકારી રહ્યો હતો, ત્યારે જ પહેલેથી ગોઠવાયેલી એસીબીની ટીમે તેને સ્થળ પર જ દબોચી લીધો હતો.

🔍 રૂ. 4.07 લાખની રોકડ રકમ સ્થળ પરથી જ રીકવર કરાઈ

Ahmedabad : એસીબી દ્વારા આરોપી સુરેશ પંડ્યા પાસેથી લાંચમાં માંગવામાં આવેલી, સ્વીકારેલી અને નક્કી થયેલી પૂરેપૂરી રકમ એટલે કે રૂ. 4,07,500/- સ્થળ પરથી જ રીકવર કરી લેવામાં આવી છે. આ કિસ્સાથી સાબિત થાય છે કે સરકારી યોજનાઓના નામે સામાન્ય નાગરિકો પાસેથી પૈસા પડાવતા વચેટિયાઓ સામે જાગૃત નાગરિકોની એક ફરિયાદ પણ મોટો પાઠ ભણાવી શકે છે.

👮 PI ડી.બી. મહેતા અને એસીબી ટીમની સફળ કામગીરી

Ahmedabad : આ સફળ ટ્રેપિંગ કામગીરી ગુજરાત રાજ્ય એસીબીના ફીલ્ડ-3 (ઇન્ટેલિજન્સ વિંગ) અમદાવાદના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.બી. મહેતા તથા તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. એસીબીની આ ત્વરિત અને કડક કાર્યવાહીના કારણે મકાનની લાલચ આપી છેતરપિંડી આચરતા વચેટિયાઓ અને ખાનગી દલાલોમાં ભારે ફાડ પડી છે.

QR Code

Hit and Run : લખનૌમાં કારના બોનેટ પર લટકતી યુવતી! VIDEO વાયરલ થતાં મચ્યો હડકંપ

Ad p

Related posts

ઓસ્ટ્રેલિયાથી મળશે યુરેનિયમ, PM મોદીની મોટી સફળતા, ખુલશે વિકાસના નવા રસ્તા

SAHAJANAND RAJPUT

સોમનાથ : વિનાશથી વિકાસ સુધીની એ અદમ્ય સફર, જેણે ભારતનું ભાગ્ય બદલી નાખ્યું

SAHAJANAND RAJPUT

અદાણીનો ધડાકો : ઔદ્યોગિક ગેસના ભાવમાં ₹37નો ઘટાડો

SAHAJANAND RAJPUT

1 comment

Surat : સુરતમાં ચિપ ક્રાંતિ! ₹868 કરોડના OSAT પ્લાન્ટમાં 103 કરોડ ચિપ્સનું ઉત્પાદન September 18, 2026 at 9:21 am

[…] Ahmedabad : શાહીબાગમાં PM આવાસ યોજનાના… […]

Reply

Leave a Comment