27 C
Ahmedabad
September 29, 2023
NEWSPANE24
Unique Gujarat News

Humanity Towards Animals : વલ્ચર પક્ષીઓ દ્વારા ઈજાગ્રસ્ત કપિશિશુનો જીવ બચાવતી 1962 સેવા

Humanity Towards Animals
SHARE STORY

Humanity Towards Animals : “જેને રામ રાખે તેને કોણ ચાખે” ઉક્તિને સાચી ઠેરવતી ઘટનામાં માતાથી વિખુટા પડી ગયેલા અને વલ્ચર પક્ષીઓ દ્વારા ઈજાગ્રસ્ત કપિશિશુનો જીવ 1962 સેવા દ્વારા બચાવી લેવાયો હતો. બાદમાં કપિશિશુને વનવિભાગને સુપ્રત કરી દેવાયુ હતુ.

Humanity Towards Animals : ઘવાયેલા કપિશિશુ અંગે 1962 સેવાને જીવદયાપ્રેમીએ માહિતી આપી

Humanity Towards Animals

પોતાના પરીવારથી વિખુટા પડી ગયેલા એક કપિશિશુને પક્ષીઓ દ્વારા ઠોલી ખવાઈ રહ્યુ હતુ, જેથી ઈજાગ્રસ્ત કપિશિશુનો જીવ જોખમમાં મુકાયો હતો. આ ધટનાને જોઈને કોઈ જીવદયાપ્રેમીએ વડોદરા પ્રાણીજગત માટે જીવાદોરી સમાન 1962 સેવા પર કોલ કરી ઘટનાની માહિતી આપી હતી.

Humanity Towards Animals : માથાના ભાગે ઈજાઓને પગલે કપિશિશુનુ જીવન જોખમમાં

Humanity Towards Animals

સદનસીબે 1962ની એમ્બ્યુલન્સ સેવા તે જ વિસ્તારમાં અન્ય કોઈક પશુની સારવાર માટે આવી હતી. એમ્બ્યુલન્સમાં હાજર ડૉ. ચિરગા પરમાર અને ડ્રેસર ચંદુભાઈ ત્વરિત ધટનાસ્થળે દોડી ગયા હતા. જ્યાં તેમણે જોયુ તો કપિશિશુને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી અને સમયસર સારવાર ન મળે તો તેના જીવને જોખમ હતુ.

Humanity Towards Animals : ડ્રેસિગ અને એન્ટીબાયોટીકના ઈન્જેક્શન આપી સારવાર

Humanity Towards Animals

ડૉ. ચિરાગ પરમાર અને તેમની ટીમે સહેજપણ સમય બગાડ્યા વિના તુરત જ કપિશિશુની સારવાર શરુ કરી હતી. કપિશિશુની ઈજાઓનું ડ્રેસિંગ કરી જરુરી એન્ટીબાયોટીકના ઈન્જેક્શનો આપવામાં આવ્યા હતા. આખરે 1962ની ત્વરિત સેવાને કારણે કપિશિશુનો જીવ બચી ગયો હતો.

આપના વિસ્તારમાં થતા આયોજનો, ઘટનાઓ, સમસ્યાઓ અને જરુરીયાતોની માહિતી અમારા સુધી WhatsAap દ્વારા પહોચાડવા નીચેની લિંક ક્લિક કરો

https://wa.me/message/COLLBENPMPDMJ1

પરિવારથી વિખુટા પડ્યા બાદ માનવ સમાજમાં શિશુનું જીવવુ દુભર થઈ જતુ હોય તો પ્રાણીજગતમાં કપિશિશુનું અસ્તિત્વ ટકાવવું લગભગ અશક્ય હોય છે. એવામાં પશુ-પંખીઓ માટે જીવાદોરી સમાન 1962 સેવાએ જોખમમાં રહેલા કપિશિશુનો જીવ બચાવી માનવતાનું કાર્ય કર્યુ છે જે અભિનંદનને પાત્ર છે.

આ પણ જુઓ

Moyamoya Disease : દુર્લભ રોગ “મોયામોયા”થી પીડાતા બે બાળકોને સયાજી હોસ્પિટલના ન્યુરો-સર્જરી વિભાગે આપ્યુ નવુ જીવન

ADVERTISEMENT

તાજા સમાચાર


SHARE STORY

Related posts

30 January, 2022 ના દિવસે દેશ શહીદો(shahid din)ની યાદમાં 2 મિનિટનું મૌન(Silence) પાળશે

SAHAJANAND

Ahmedabad Police : અમદાવાદ પોલીસની 9 ફેબ્રૃઆરીની કાર્યવાહી

SAHAJANAND

liquor seized : વટામણ ધોલેરા હાઈવે પરથી 18.89 લાખનો દારુનો જથ્થો ઝડપાયો

SAHAJANAND

ગુજરાત(Gujarat)માં આજે કોરોના(Corona) કેસોમાં ઘટાડો : 16,617 નવા કેસ : 19 ના મોત

SAHAJANAND

Leave a Comment