27 C
Ahmedabad
September 17, 2023
NEWSPANE24
Gujarat News

Corona : ગુજરાતમાં નવા 2,909 કેસ : 21 ના મોત

corona SOP
SHARE STORY

corona awareness

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના(Corona) સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો નોંધાતા 2,909 કેસ નવા નોંધાયા છે. જ્યારે મૃત્યુની સંખ્યામાં ધટાડો નોંધાતા 21 લોકોના મોત થયા છે. પાછલા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં 25% જેટલો ઘટાડો થતા કાલના 3,897 ની સરખામણીમાં આજે 2,909 કેસ નવા સામે આવ્યા છે.

corona SOP

અમદાવાદ કર્પોરેેશનમાં કોરોનાના કેસ 1000 નીચે

ગુજરાતમાં સૌથી વધુ કોરોના(Corona)ના કેસ 928 અમદાવાદ કોર્પોરેશન ખાતે નોંધાયા છે. ત્યારબાદ વડોદરા કોર્પોરેશનમાં 462, રાજકોટ કોર્પોરેશનમાં 108, સુરત કોર્પોરેશનમાં 90, વડોદરામાં 141, સુરત જીલ્લામાં 63, કચ્છમાં 81, આણંદમાં 44, ભરુચમાં 26, મહેસાણામાં 140, ગાંધીનગર કોર્પોરેશનમાં 131, જામનગર કોર્પોરેશનમાં 33 જ્યારે ભાવનગર કોર્પોરેશનમાં 27 કેસ નોંધાયા છે.

Corona

રાજ્યમાં કોરોનાના એક્ટિવ કુલ કેસ 38,644 : સાજા થવાનો દર 95.90%

આ સાથે રાજ્ય(Gujarat)માં હાલ કોરોનાCorona)ના એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 38,644 પર પહોંચી છે, જેમાં 215 દર્દીઓ વેન્ટિલેટર(Ventilator) પર, જ્યારે સ્ટેબલ અવસ્થામાં 38,429 દર્દીઓ છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 11,53,818 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે, જ્યારે 10,688 લોકો કોરોનાનો ભોગ બની ચૂક્યા છે. કોરોનાથી સાજા થવાનો દર 90થી ઉપર આવી જતા હાલ 95.90% છે.

Corona

કોરોનાને નાથવા સાવચેતી રાખી આપનું અને આપના પરિવારનુ રક્ષણ કરો

કોરોના(Corona) સંક્રમણથી પોતાને અને પોતાના પરિવારને બચાવવા માસ્ક અચૂક પહોરો, સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન કરો, વારંવાર સાબુતી હાથ ધોવાનું રાખો, છીંક કે ઉધરસ ખાતી વખતે આપના નાક-મોઢાને કવર કરી ઢાંકવાની ટેવ પાડો, વારંવાર તમારી આંખને સ્પર્ષ કરવાથી બચો અને જરુરી ન હોય તો ધરની બહાર નીકળવાનું ટાળો. આપ સુરક્ષિત રહેશો તો આપનું પરિવાર સુરક્ષિત રહેશે, પરિવાર સુરક્ષિત રહેશે તો મહોલ્લો, શેરી કે સોસાયટી સુરક્ષિત રહેશે, સોસાયટી સુરક્ષિત રહેશે તો ગામ, જીલ્લો અને રાજ્ય સહિત દેશ સુરક્ષિત રહેશે. કોરોના સામે લડવા દેશની સુરક્ષા માટે આગળ આવો, જાગૃત રહો અને જાગૃતિ ફેલાવો.

corona awareness

કોરોના અંગે જીલ્લાવાર આંકડા

corona numbers 7 February

તાજા સમાચાર

આજે કુલ 2,70,890 લોકોનું રસીકર(Vaccination

corona vaccination number 7 February

રાજ્યમાં આજે કુલ 2,70,890 લોકોનું સરસીકરણ(Vaccination) કરવામાં આવ્યુ છે. જ્યારે અત્યાર સુધી કુલ 9,98,80,825 લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ છે.

આ પણ જુઓ

 Cataract free Gujarat : ગુજરાતને મોતિયા મુક્ત કરવાની ઝૂંબેશ


SHARE STORY

Related posts

Ahmedabad Police : અમદાવાદ ગ્રામ્ય પોલીસને DGP દ્વારા પ્રશંસાપત્ર

Newspane24.com

Women’s Empowerment નું ઉત્કૃષ્ઠ ઉદાહરણ : પ્રાંતવેલ ગામની બહેનો

SAHAJANAND

ગોધરાના કિશોરને વડોદરા સયાજી હોસ્પિટલ(sayajirao hospital vadodara)ના ડોક્ટરોએ આપ્યુ નવુ જીવન

SAHAJANAND

AAP punjab cm candidate : પંજાબમાં AAPના મુખ્યમંત્રીનો ચહેરો ભગવંત માન

SAHAJANAND

Leave a Comment