
ગુજરાતમાં છેલ્લા દિવસોમાં કોરોના(Corona) સંક્રમિતોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેમાં આજે પણ કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો થતા 116 કેસ નવા નોંધાયા છે. જ્યારે 1 વ્યક્તિનું મોત નિપજ્યુ છે.

અમદાવાદ કર્પોરેેશનમાં કોરોનાના કેસ 50થી નીચે
અમદાવાદ કોર્પોરેશન ખાતે કોરોના(Corona)ના કેસ 50થી નીચે રહેતા નવા 47 કેસ નોંધાયા છે. ત્યારબાદ વડોદરા કોર્પોરેશનમાં 17, રાજકોટ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 1, વડોદરામાં 9, સુરત જીલ્લામાં 4, આણંદમાં 4, ખેડામાં 3, તાપીમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 3, બનાસકાંઠામાં 4, કચ્છમાં 4, સુરેન્દ્રનગરમાં 2, દાહેદમાં 3, મહીસાગરમાં 2 જ્યારે પાટણમાં 2 કેસ નોંધાયો છે.

રાજ્યમાં કોરોનાના એક્ટિવ કુલ કેસ 1,428 : સાજા થવાનો દર 98.99%
આ સાથે રાજ્ય(Gujarat)માં હાલ કોરોનાCorona)ના એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 1,428 પર પહોંચી છે, જેમાં 14 દર્દીઓ વેન્ટિલેટર(Ventilator) પર, જ્યારે સ્ટેબલ અવસ્થામાં 1,414 દર્દીઓ છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 12,10,545 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે, જ્યારે 10,933 લોકો કોરોનાનો ભોગ બની ચૂક્યા છે. કોરોનાથી સાજા થવાનો દર 98થી ઉપર આવી જતા હાલ 98.99% છે.

કોરોનાને નાથવા સાવચેતી રાખી આપનું અને આપના પરિવારનુ રક્ષણ કરો
કોરોના(Corona) સંક્રમણથી પોતાને અને પોતાના પરિવારને બચાવવા માસ્ક અચૂક પહોરો, સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન કરો, વારંવાર સાબુતી હાથ ધોવાનું રાખો, છીંક કે ઉધરસ ખાતી વખતે આપના નાક-મોઢાને કવર કરી ઢાંકવાની ટેવ પાડો, વારંવાર તમારી આંખને સ્પર્ષ કરવાથી બચો અને જરુરી ન હોય તો ધરની બહાર નીકળવાનું ટાળો. આપ સુરક્ષિત રહેશો તો આપનું પરિવાર સુરક્ષિત રહેશે, પરિવાર સુરક્ષિત રહેશે તો મહોલ્લો, શેરી કે સોસાયટી સુરક્ષિત રહેશે, સોસાયટી સુરક્ષિત રહેશે તો ગામ, જીલ્લો અને રાજ્ય સહિત દેશ સુરક્ષિત રહેશે. કોરોના સામે લડવા દેશની સુરક્ષા માટે આગળ આવો, જાગૃત રહો અને જાગૃતિ ફેલાવો.

કોરોના અંગે જીલ્લાવાર આંકડા

તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
આજે કુલ 79,461 લોકોનું રસીકરણ(Vaccination)

રાજ્યમાં આજે કુલ 79,461 લોકોનું સરસીકરણ(Vaccination) કરવામાં આવ્યુ છે. જ્યારે અત્યાર સુધી કુલ 10,30,94,826 લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ છે.
આ પણ જુઓ
Students return from Ukraine : યુક્રેનથી પાછા ફરેલા 27 વિદ્યાર્થીઓનું ગાંધીનગરમાં સ્વાગત