33 C
Ahmedabad
March 23, 2023
NEWSPANE24
News Gujarat Politics Unique

congress : કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાની સંવેદનશીલતા

congress
SHARE STORY

congress : કોંગ્રેસના નેતા(leader) અર્જુન મોઢવાડિયાની સંવેદનશીલતા દર્શાવતી એક ઘટના સામે આવી છે.

સામાન્ય જનમાનસમાં નેતાગણની છબી

congress

આમતો સામાન્ય જનમાનસમાં નેતાગણ(leader)ની સામાન્ય છબી ઠાઠ-માઠ, ઐશ્વર્ય, વટ અને તુમાખી સાથે જોડાયેલી હોય છે. જોકે કેટલાક નેતાઓ પોતાની સંવેદનશીલતા અને માનવતાને કારણે જનમાનસમાં મુઠી ઉંચેરુ સ્થાન હાંસલ કરે છે. ગુજરાત કોંગ્રેસ(congress)ના પૂર્વ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાનો આવો જ એક માનવતાસભર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

અર્જુન મોઢવાડિયાની નજર એક મુશ્કેલી અનુભવી રહેલા ટ્રક ડ્રાઈવર પર પડી

ઘટના એ પ્રમાણે બની કે કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડીયા પોરબંદરના પોતાના રુટીન પ્રવાસ પર હતા અને આતરીયાળ વિસ્તારના એક સુમ-સાન રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. અચાનક જ તેમની નજર એક ટ્રક ડ્રાઈવર પર પડી, જેની ટ્રક બંધ થઈ ગઈ હતી અને ટ્રકને સ્ટાર્ટ કરવામાં તે મુશ્કેલી અનુભવી રહ્યો હતો.

અર્જુન મોઢવાડીયા સહિત તેમના કાફલાએ ટ્રકને ઘક્કો લગાવ્યો

congress

સહજ રીતે જોઈએ તો કોઈ સામાન્ય નેતા કે વ્યક્તિ પણ આવી બાબતને અવગણીને પોતાના કાર્ય માટે આગળ વધી જાય. પરંતુ અર્જુન મોઢવાડીયાની સંવેદનશીલતાએ તેમને આગળ વધી જતા અટકાવ્યા. તેમણે પોતાનો કાફલો ઉભો રખાવી ડ્રાઈવરની પુછપરછ કરી તેની સમસ્યા જાણી. માત્ર એટલુ જ નહીં મોટા ગજાના નેતા હોવા છતાં તેમણે કોઈ પણ પ્રાકરનો ક્ષોભ રાખ્યા વિના ડ્રાઈવરને કહ્યુ કે તું સ્ટીયરિંગ સંભાળ હું તથા મારી સાથે રહેલા કોંગ્રેસના અન્ય નેતા(leader)ઓ અને સુરક્ષા કર્મીઓ મળી તારી ટ્રકને ધક્કો લગાવી દઈએ છીએ. આ સાથે અર્જુન મોઢવાડીયા અને તેમના કાફલાના લોકોએ ટ્રકને ધક્કો મારી ચાલુ કરી દીધી હતી.

તાજા સમાચાર

સંવેદનહિન નેતા ક્યારેય લોકોના હ્રદયમાં સ્થાન પ્રાપ્ત કરી નથી શકતો

આમ જોઈએ તો વાત સાવ મામુલી છે પરંતુ જો એને મુલવવામાં આવે તો હાલના સમયની નેતાગીરીને જોતા આવી ઘટનાઓ અમુલ્ય છે. ભાજપ, કોંગ્રેસ કે પછી દેશનો કોઈપણ રાજકીય પક્ષ હોય, ડાબેરી-જમણેરી કોઈપણ પ્રકારની વિચારધારમાં માનતો હોય પણ જો તેના નેતા(leader) કે કાર્યકર્તામાં માનવતા અને સંવેદનશીલતા ન હોય તો તે પક્ષ ક્યારેય લોકોના હૈયમાં સ્થાન મેળવી શકે નહીં.

આ પણ જુઓ

Destroying liqueur : રુ. 1,07,14,270 ની કિંમતના દારુના જથ્થાનો નાશ


SHARE STORY

Related posts

અસલાલીમાં પોલીસ(Police) સ્ટાફ-પરિવાર, હોમગાર્ડ, જીઆરડી, ટ્રાફિક બ્રિગેડ માટે Health checkup

SAHAJANAND

Sensitive police : સરખેજ પોલીસે ગુમ થયેલા બાળકોને ગણતરીના કલાકોમાં શોધી કાઢી પરિવારને સોંપ્યા

Newspane24.com

Poor welfare fair : ગરીબ કલ્યાણ મેળામાં 1,732 લાભાર્થીઓને 3.40 કરોડના સાધનો-સહાય

SAHAJANAND

INDvsSA 3rd Test : બીજા દિવસે સાઉથ આફ્રિકા 210 રને સમેટાયુ : ભારત 57/2

SAHAJANAND

Leave a Comment