31 C
Ahmedabad
September 30, 2023
NEWSPANE24
News Gujarat Politics

ચૂંટણી પહેલા AAPને ઝટકો : ગાયક કલાકાર વિજય સુવાળા(Vijay Suvada)એ કેસરીયો ધરણ કર્યો

Vijay Suvada
SHARE STORY

Table Of contents : ચૂંટણી પહેલા AAPને ઝટકો : ગાયક કલાકાર વિજય સુવાળા(Vijay Suvada)એ કેસરીયો ધરણ કર્યો

Vijay Suvada

આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ ગતિ પકડી રહી છે. આમ આદમી પાર્ટી(AAP)ને હાથતાળી આપીને જાણીતા લોક ગાયક, AAPના ગુજરાતના ઉપાધ્યક્ષ વિજય સુવાળા(Vijay Suvada)એ ભાજપનો કેસરીયો ધારણ કરી લીધો છે. વિજય સુવાળાનું ભાજપમાં જવુ એ 2022ના ડિસેમ્બમાં ગુજરાતમાં ચોજાનારી વિધાનસભાની ચૂટણીમાં AAP માટે એક ફટકા સમાન છે. છેલ્લા કેટલાક સમયથી વિજય સુવાળા AAPમાં ચાલી રહેલા આંતરિક વિખવાદને લઈને નારાજ હતા અને છેલ્લા કેટલાક સમયથી પાર્ટીની ગતિવિધિઓથી પોતાને દુર કરી નિષ્ક્રિય રહ્યા હતા.

AAPમાં ચાલી રહેલી ઉઠાપટકને પગલે નારાજગી

AAPમાં ચાલી રહેલી ઉઠાપટકને પગલે નારાજગીને લઈને વિજય સુવાળા(Vijay Suvada) ગુજરાત ભાજપના નેતાઓ પ્રદિપસિંહ વાધેલા અને રજની પટેલ સહિતના નેતાઓની હાજરીમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે કેસરીયો ખેસ ધારણ કરી ભાપમાં જોડાયા હતા.

વિજય સુવાળાએ તો ઘરવાપસી કરી છે : ગુજરત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ

C R Patil

આ પ્રસંગે સી.આર. પાટીલે જણાવ્યુ હતુ કે, “કેટલાક લોકો દ્વારા એવો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે કે વિજય સુવાળા(Vijay Suvada)એ ભાજપમાં પ્રવેશ કર્યો છે, પરંતુ વિજય સુવાળાએ તો ઘરવાપસી કરી છે, વિજય સુવાળા દ્વારા ભાજપમાં પાછા ફરવાનો પ્રસ્તાવ મુકાયો અને અમે તેને આવકાર્યો છે.”

રાતનો ભૂલ્યો દિવસે ઘરે આવ્યો છું : વિજય સુવાળા

Vijay Suvada

એક પ્રાઈવેટ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં વિજય સુવાળા(Vijay Suvada)એ જણાવ્યુ હતુ કે, ‘દરેક રાજકીય પક્ષોની નીતિઓ અને કાર્યપ્રણાલી અલગ-અલગ હોય છે, પરંતુ જ્યારે કુટુંબનો મોભી એક પક્ષમાં હોય ત્યારે દિકરા અને પરિવારે પણ એ પાર્ટીમાં રહેવુ જોઈએ, હજી તે મારી ઉમર નાની છે, રાતનો ભૂલ્યો દિવસે ઘરે આવ્યો છુ.’ મેં કઈપણ કાર્ય ઉતાવળે કર્યુ નથી. મેં સભાન અવસ્થામાં રહેતા આત્મનિર્ણય લીધો છે. મેં જે સમયે જે પણ નિર્ણય લીધો તે સાચો જ હશે.

તાજા સમાચાર

કોરોનાને લઈને શક્તિ પ્રદર્શન ટાળ્યુ : વિજય સુવાળા

people with Vijay Suvada

સુવાળા(Vijay Suvada)એ વધુમાં જણાવ્યુ હતુ કે મારા રાજીનામાની જહેરાત સાથે મારા 2000 સમર્થેકોએ ત્યાગપત્ર આપ્યા હતા, પરંતુ હાલ અમારું આ 2000 યવાઓનું જુથ સેવાલક્ષી કાર્યો સાથે સંકળાયેલુ રહેશે. કોરોનાની ગાઈડ લાઈન અનુસાર 150થી વધારે લોકોને ભેગા કરી શકાય તેમ નથી ત્યારે હું આજે મોટુ શક્તિ પ્રદર્શન કરી શક્યો હોત, પરંતુ કોરોનાને લઈને એમ કરવાનું અમે ટાળ્યુ છે. મારી સાથે આજે 5000 કાર્યકર્તાઓ અને લોકસેવકો ભાજપમાં જોડાશે.

આ પણ જુઓ

જના વાહનનો નંબર રાખી શકાશે


SHARE STORY

Related posts

flag hoisting and flag unfurling difference : ધ્વજારોહણ અને ધ્વજ ફરકાવવા વચ્ચેનો તફાવત

SAHAJANAND

large quantity of liquor seized : અસલાલીમાં 11.71 લાખનો દારુનો જથ્થો ઝડપાયો

SAHAJANAND

Food Poisoning in Mahesana : મહેસાણામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લઘુમતી મોરચાના પ્રમુખના ઘરે લગ્ન પ્રસંગમાં ફુડ પોઈઝનીગ : 1હજારથી વધુ લોકો સારવાર હેઠળ

Newspane24.com

Drug free Youth : યુવાધનને નશામુક્ત કરવા વડોદરા શહેર પોલીસની અનોખી પહેલ : મિશન ક્લિન વડોદરા અંતર્ગત શાળાઓમાં અવેરનેસ પ્રોગ્રામ

SAHAJANAND

Leave a Comment