19 C
Ahmedabad
February 12, 2025
NEWSPANE24
Gujarat News

Corona કેસોમાં ઘટાડો : ગુજરાતમાં આજે 14,781 નવા કેસ : 21 ના મોત

corona SOP
SHARE STORY

corona awareness

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના(Corona) સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો જોવા મળતા આજે કેસ નવા નોંધાયા છે અને 28 લોકોના મોત થયા છે. પાછલા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં 11% જેટલો ઘટાડો થતા કાલના 16,608ની સરખામણીમાં આજે 14,781 કેસ નવા સામે આવ્યા છે જ્યારે મૃત્યુની સંખ્યામાં પણ ઘટાડો થતાં ગઈ કાલના 28ની સરખામણીમાં આજે 21 લોકોના કોરોના સંક્રમણને કારણે મોત થયા છે.

corona SOP

અમદાવાદ કર્પોરેેશનમાં સૌથી વધુ 5,248 કોરોનાના કેસ

ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ 5,248 અમદાવાદ કોર્પોરેશન ખાતે નોંધાયા છે. ત્યારબાદ વડોદરા કોર્પોરેશનમાં 2,412, રાજકોટ કોર્પોરેશનમાં 944, સુરત કોર્પોરેશનમાં 834, વડાદરામાં 604, સુરત જીલ્લામાં 394, કચ્છમાં 312, આણંદમાં 245, ભરુચમાં 158, મહેસાણામાં 403, અમરેલીમાં 95, ગાંધીનગર કોર્પોરેશનમાં 544, જામનગર કોર્પોરેશનમાં 201 જ્યારે ભાવનગર કોર્પોરેશનમાં 233 કેસ નોંધાયા છે.

Corona

રાજ્યમાં કોરોનાના એક્ટિવ કુલ કેસ 1,28,192 : સાજા થવાનો દર 87.50%

આ સાથે રાજ્ય(Gujarat)માં હાલ કોરોનાCorona)ના એક્ટિવ કેસોની સંખ્યા વધીને 1,28,192 પર પહોંચી છે, જેમાં 309 દર્દીઓ વેન્ટિલેટર(Ventilator) પર, જ્યારે સ્ટેબલ અવસ્થામાં 1,27,883 દર્દીઓ છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 9,69,234 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે, જ્યારે 10,323 લોકો કોરોનાનો ભોગ બની ચૂક્યા છે. કોરોનાથી સાજા થવાનો દર 90થી નીચે આવી જતા હાલ 87.50% છે.

Corona

કોરોનાને નાથવા સાવચેતી રાખી આપનું અને આપના પરિવારનુ રક્ષણ કરો

કોરોના સંક્રમણથી પોતાને અને પોતાના પરિવારને બચાવવા માસ્ક અચૂક પહોરો, સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન કરો, વારંવાર સાબુતી હાથ ધોવાનું રાખો, છીંક કે ઉધરસ ખાતી વખતે આપના નાક-મોઢાને કવર કરી ઢાંકવાની ટેવ પાડો, વારંવાર તમારી આંખને સ્પર્ષ કરવાથી બચો અને જરુરી ન હોય તો ધરની બહાર નીકળવાનું ટાળો. આપ સુરક્ષિત રહેશો તો આપનું પરિવાર સુરક્ષિત રહેશે, પરિવાર સુરક્ષિત રહેશે તો મહોલ્લો, શેરી કે સોસાયટી સુરક્ષિત રહેશે, સોસાયટી સુરક્ષિત રહેશે તો ગામ, જીલ્લો અને રાજ્ય સહિત દેશ સુરક્ષિત રહેશે. કોરોના સામે લડવા દેશની સુરક્ષા માટે આગળ આવો, જાગૃત રહો અને જાગૃતિ ફેલાવો.

corona awareness

કોરોના અંગે જીલ્લાવાર આંકડા

corona

તાજા સમાચાર

આજે કુલ 2,17,441 લોકોનું રસીકર(Vaccination)

corona

રાજ્યમાં આજે કુલ 2,17,441 લોકોનું સરસીકરણ(Vaccination) કરવામાં આવ્યુ છે. જ્યારે અત્યાર સુધી કુલ 9,69,76,869 લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ છે.

આ પણ જુઓ

National Voters’ Day : ચાલો આપણી ચૂંટણી પ્રક્રિયાને સુગમ-સમાવિષ્ટ બનાવવા સહભાગી બનીએ


SHARE STORY

Related posts

Online teaching : ધોરણ 1 થી 9 ના વર્ગોને રાજ્યમાં 5 ફેબ્રૃઆરી સુધી ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે

SAHAJANAND

UP Election : UP Election : ભાજપે મુલાયમસિંહ યાદવની વહુ અપર્ણા યાદવને ભાજપમાં શામેલ કરી સમાજવાદી પાર્ટીના ગઢ ગણાતા યાદવ પરિવારમાં છીંડુ પાડ્યુ

SAHAJANAND

caretaker beating child : સુરતમાં કેરટેકરે માર મારતા 8 માસના બાળકને બ્રેઈન હેમરેજ

SAHAJANAND

Fraud with senior citizens : બેંકમાં સિનીયર સિટીઝનની નજર ચુકવી 3.80 લાખ ચોરી લેનારા શખ્સો ઝડપાયા

SAHAJANAND

Leave a Comment