25 C
Ahmedabad
March 20, 2025
NEWSPANE24
Gujarat News

ગુજરાતમાં આજે Corona ના 23,150 નવા કેસ : 15 ના મોત

corona
SHARE STORY

ગુજરાત(Gujarat)માં આજે કોરોના સંક્રમણના 23,150 નવા કેસ દાખલ થયા છે. જ્યારે કોરોનાને કારણે 15 લોકોના મોત નિપજ્યા છે.

corona

ગુજરાત(Gujarat)માં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ગાઈ કાલ કરતા આજે વધારો જોવા મળ્યો છે. આજે નોંધાયેલા નવા સંક્રમિતોની સંખ્યા 23,150 સુધી પહોંચી છે. પાછલા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં 9% જેટલો વધારો થતા કાલના 21,225 ની સરખામણીમાં આજે 23,150 કેસ નવા સામે આવ્યા છે અને 15 લોકોના કોરોના સંક્રમણને કારણે મોત થયા છે.

અમદાવાદ કર્પોરેેશનમાં સૌથી વધુ 8,194 કોરોના(Corona)ના કેસ

ગુજરાત(Gujarat)માં સૌથી વધુ કોરોનાના કેસ 8,194 અમદાવાદ કોર્પોરેશન ખાતે નોંધાયા છે. ત્યારબાદ સુરત કોર્પોરેશનમાં 1,876, વડોદરા કોર્પોરેશનમાં 2,823, રાજકોટ કોર્પોરેશનમાં 1,707, સુરત જીલ્લામાં 612 આણંદમાં 565, ગાંધીનગર કોર્પોરેશનમાં 547, જામનગર કોર્પોરેશનમાં 563 જ્યારે ભાવનગર કોર્પોરેશનમાં 401 કેસ નોંધાયા છે.

Corona

રાજ્યમાં Corona ના એક્ટિવ કુલ કેસ 1,29,875 : સાજા થવાનો દર 86.60%

આ સાથે રાજ્ય(Gujarat)માં હાલ કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા વધીને 1,29,875 પર પહોંચી છે, જેમાં 244 દર્દીઓ વેન્ટિલેટર(Ventilator) પર, જ્યારે સ્ટેબલ અવસ્થામાં 1,29,631 દર્દીઓ છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 9,05,833 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે, જ્યારે 10,230 લોકો કોરોનાનો ભોગ બની ચૂક્યા છે. કોરોનાથી સાજા થવાનો દર 90થી નીચે આવી જતા હાલ 86.60% છે.

Corona

Corona ને નાથવા સાવચેતી રાખી આપનું અને આપના પરિવારનુ રક્ષણ કરો

કોરોના સંક્રમણથી પોતાને અને પોતાના પરિવારને બચાવવા માસ્ક અચૂક પહોરો, સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન કરો, વારંવાર સાબુતી હાથ ધોવાનું રાખો, છીંક કે ઉધરસ ખાતી વખતે આપના નાક-મોઢાને કવર કરી ઢાંકવાની ટેવ પાડો, વારંવાર તમારી આંખને સ્પર્ષ કરવાથી બચો અને જરુરી ન હોય તો ધરની બહાર નીકળવાનું ટાળો. આપ સુરક્ષિત રહેશો તો આપનું પરિવાર સુરક્ષિત રહેશે, પરિવાર સુરક્ષિત રહેશે તો મહોલ્લો, શેરી કે સોસાયટી સુરક્ષિત રહેશે, સોસાયટી સુરક્ષિત રહેશે તો ગામ, જીલ્લો અને રાજ્ય સહિત દેશ સુરક્ષિત રહેશે. કોરોના(Corona) સામે લડવા દેશની સુરક્ષા માટે આગળ આવો, જાગૃત રહો અને જાગૃતિ ફેલાવો.

corona awareness

Corona અંગે જીલ્લાવાર આંકડા

Corona

તાજા સમાચાર

આજે કુલ 1,88,558 લોકોનું રસીકર(Vaccination)

vaccination

રાજ્યમાં આજે કુલ 1,88,558 લોકોનું સરસીકરણકરવામાં આવ્યુ છે. જ્યારે અત્યાર સુધી કુલ 9,62,28,391લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ છે.

આ પણ જુઓ

30 January, 2022 ના દિવસે દેશ શહીદો(shahid din)ની યાદમાં 2 મિનિટનું મૌન(Silence) પાળશે


SHARE STORY

Related posts

Ahmedabad Police : 3 જાન્યુઆરી દરમ્યાન અમદાવાદ પોલીસની કાર્યવાહી

SAHAJANAND

Mobile Thieves : રૂ. 1.22 લાખના 22 ચોરીના મોબાઈલ સાથે બે અઠંગ મોબાઈલ ચોર ઝડપાયા

SAHAJANAND

આંગડિયા પેઢીના કર્મચારીઓ ઉપર ફાયરીંગ કરી લૂંટ ચલાવનારા ચાર આરોપી(Loot accused) ઝડપાયા

SAHAJANAND

Corona નિયંત્રણના ઉપાયો સુચવવા રચાયેલા “Expert Group of Doctors”ની મુખ્યમંત્રી સાથે બેઠક

SAHAJANAND

Leave a Comment