Image default
રાજકારણખબર

અમિત શાહની ગર્જના: “આસામમાં UCC આવશે, ઘૂસણખોરો હવે 4 લગ્ન નહીં કરી શકે

અમિત શાહ : “બસ 5 વર્ષ આપો, આસામમાંથી એક-એક ઘૂસણખોરને વીણીને બહાર કાઢીશું”, ગૃહમંત્રીની ગર્જના 🚩,

Amit Shah

ગુવાહાટી: આસામ વિધાનસભાની 2026ની ચૂંટણીનો જંગ જામી રહ્યો છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતરીને વિરોધ પક્ષો અને ઘૂસણખોરો પર આકરા પ્રહારો કર્યા છે. શુક્રવારે આસામના ગોલપારા જિલ્લાના દૂધનોઈમાં એક ભવ્ય રેલીને સંબોધતા અમિત શાહે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અને ઘૂસણખોરીના મુદ્દે મહત્વની જાહેરાતો કરી હતી.

🛑 અમિત શાહ : ઘૂસણખોરોની હવે ખેર નથી: UCC લાવવાની મોટી જાહેરાત

અમિત શાહે સભામાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકાર રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અમલમાં લાવશે. તેમણે ઉમેર્યું કે, “અમે UCC લાવીશું જેના કારણે ઘૂસણખોરો હવે 4 લગ્ન કરી શકશે નહીં”. શાહે મેઘાલયના ગારો હિલ્સનો ઉલ્લેખ કરતા આરોપ લગાવ્યો હતો કે, ઘૂસણખોરો આદિવાસી મહિલાઓ સાથે લગ્ન કરીને રાજકીય પ્રભાવ મેળવવાનો પ્રયાસ કરે છે, જેના કારણે અશાંતિ સર્જાય છે.

🛡️ 5 વર્ષ આપો, આસામને ‘ઘૂસણખોર મુક્ત’ બનાવીશું!

અમિત શાહ

અમિત શાહ : ગૃહમંત્રીએ જનતાને અપીલ કરતા કહ્યું હતું કે, જો ભાજપને ફરી 5 વર્ષ માટે સત્તા સોંપવામાં આવશે, તો તેઓ આસામમાંથી એક-એક ઘૂસણખોરને શોધીને બહાર કાઢશે અને રાજ્યને સંપૂર્ણપણે ઘૂસણખોરી મુક્ત બનાવશે. તેમણે ચેતવણી આપી હતી કે જો કોંગ્રેસ થોડી પણ બેઠકો જીતશે, તો આસામમાં ફરીથી અસ્થિરતા અને અશાંતિનું વાતાવરણ ઊભું થઈ શકે છે.

📜 આદિવાસી વિસ્તારો માટે ખાસ છૂટછાટ

અમિત શાહ

UCC અંગે મહત્વની સ્પષ્ટતા કરતા અમિત શાહે જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારોને UCC ના દાયરામાંથી બહાર રાખવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આદિવાસીઓના વિકાસ માટે એક વ્યાપક રોડમેપ તૈયાર કર્યો છે. શાહે યાદ અપાવ્યું કે ભાજપના શાસનમાં જ દેશને પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મુ મળ્યા છે, જે કોંગ્રેસે ક્યારેય નહોતું કર્યું.

🗳️ ક્યારે છે ચૂંટણી?

અમિત શાહ

આસામમાં સત્તા મેળવવા માટે તમામ પક્ષો જોર લગાવી રહ્યા છે. આસામ વિધાનસભા ચૂંટણી માટે 9 એપ્રિલ, 2026 ના રોજ મતદાન થશે અને 4 મે ના રોજ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે.

અમિત શાહ

ભાજપે આ વખતે વિકાસની સાથે સાથે સુરક્ષા અને સાંસ્કૃતિક ઓળખને મુખ્ય મુદ્દો બનાવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આસામની જનતા ફરી એકવાર ભાજપ પર ભરોસો મૂકે છે કે કેમ.

પાકિસ્તાનને મોટો ઝટકો! UAE એ મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે $2 બિલિયનની લોન તાત્કાલિક પરત માંગી

Related posts

અમદાવાદ : ઘાટલોડિયામાં ₹55 કરોડનું વોટર સ્ટેશન શરૂ, 1.25 લાખ લોકોને મળશે વધુ સારું પાણી

SAHAJANAND RAJPUT

ગુજરાત ના માર્ગોનું નવેસરથી પુનર્નિર્માણ

rajputsr

અદાણીનો ધડાકો : ઔદ્યોગિક ગેસના ભાવમાં ₹37નો ઘટાડો

SAHAJANAND RAJPUT

Leave a Comment