અમદાવાદ : હાથીજણમાં પાર્કિંગ બબતે યુવકોએ મચાવ્યો આતંક, પોલીસની ત્વરિત કાર્યવાહી : 6 યુવકો ઝડપાયા
અમદાવાદ : શહેરના ગ્રામ્ય વિસ્તારમાં નજીવી બાબતે મોટી મારામારીની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં જ હાથીજણ વિસ્તારમાં પાર્કિંગ જેવી સામાન્ય બાબતમાં થયેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે, વિવેકાનંદનગર પોલીસે આ મામલે સપાટો બોલાવી ગણતરીના કલાકોમાં જ 6 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
શું હતી સમગ્ર ઘટના?
અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હાથીજણ સ્થિત ધર્મવાટિકા ફ્લેટમાં આ ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ગત 14 ફેબ્રુઆરી 2026ના રોજ બપોરે અંદાજે 3:15 વાગ્યે જૂના પાર્કિંગના વિવાદનું મનદુખ રાખીને કેટલાક યુવાનો એકત્ર થયા હતા.

કાળી ગાડીમાં આવ્યા અને પથ્થરમારો શરૂ કર્યો
આરોપીઓ કાળા રંગની, નંબર વગરની ગાડીમાં સવાર થઈને આવ્યા હતા. તેઓએ ફરીયાદી અને સાક્ષી પર તૂટી પડી ઢીક્કા-પાટા અને પથ્થરો વડે જીવલેણ હુમલો કર્યો હતો. આટલું જ નહીં, હુમલાખોરોએ ભોગ બનનારને “જાનથી મારી નાખવાની” ધમકી આપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

પોલીસની એક્શન મોડ: 6 આરોપીઓ ઝડપાયા
ઘટનાની જાણ થતા જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.એન. બારીઆના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં જ તમામ 6 આરોપીઓને દબોચી લીધા હતા. આ તમામ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા – 2023ની વિવિધ કલમો (115, 352, 351(2), 190, 191(2) અને 125(એ)) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

ઝડપાયેલા આરોપીઓની યાદી:
1. દ્રશ્ય વાસુગીરી ગોસ્વામી (20 વર્ષ) – હાથીજણ
2. પ્રથમકુમાર સતીષભાઈ ઉપાધ્યાય (21 વર્ષ) – ખોખરા
3. કુંજભાઈ નરેન્દ્રભાઈ પટેલ (20 વર્ષ) – ખોખરા

4. આયુષ શેખરચંદ શાહ (20 વર્ષ) – બિલવાડા
5. પિયુષભાઈ રાકેશસિંહ રાજપુત (21 વર્ષ) – હાથીજણ
6. દેવભાઈ પ્રકાશભાઈ ડાભી (20 વર્ષ) – ખોખરા
વિવેકાનંદનગર પોલીસની સરાહનીય કામગીરી

આ સમગ્ર ઘટનામાં વિવેકાનંદનગર પોલીસની સક્રિયતા અને ત્વરિત નિર્ણયશક્તિ પ્રશંસાને પાત્ર છે. ઘટનાની ગંભીરતાને પારખીને પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એન. બારીઆના કુશળ માર્ગદર્શન હેઠળ તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસની આ ટીમોએ વ્યાવસાયિક કુશળતા દાખવીને ગણતરીના કલાકોમાં જ તમામ 6 આરોપીઓને દબોચી લેવામાં મોટી સફળતા મેળવી છે. પોલીસની આ પ્રકારની સમયસરની અને કડક કાર્યવાહીથી ગુનેગારોમાં કાયદાનો ડર પેઠો છે અને સ્થાનિક રહીશોમાં સુરક્ષાનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. આ ઝડપી કામગીરીએ સાબિત કર્યું છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ હંમેશા તત્પર છે
દિલ્હી ટ્રિપલ મર્ડર : ‘ધનવર્ષા’ના બહાને ટ્રિપલ મર્ડર
અરવિંદ કેજરીવાલ રાજકીય મારિચ । Vimarsh।
