25 C
Ahmedabad
March 24, 2023
NEWSPANE24
Gujarat News

ગુજરાતમાં કોરોના(Corona) સંક્રમિતોમાં વધારો : છેલ્લા 24 ક્લાકમાં 24,485 નવા કેસ નોંધાયા : 13 ના મોત

corona
SHARE STORY

Table of Content : ગુજરાતમાં કોરોના સંક્રમિતોમાં વધારો : છેલ્લા 24 ક્લાકમાં 24,485 નવા કેસ નોંધાયા : 13 ના મોત

ગુજરાત(Gujarat)માં છેલ્લા 24 કલાકમાં કોરોના વધતા નવા સંક્રમિતોની સંખ્યામાં ભારે વૃદ્ધી જોવા મળી છે. આજે નોંધાયેલા નવા સંક્રમિતોની સંખ્યા 24,485 સુધી પહોંચી છે. પાછલા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં 17% જેટલો વધારો થતા કાલના 20,966ની સરખામણીમાં આજે 3,519 કેસ નવા સામે આવ્યા છે અને 13 લોકોના કોરોના સંક્રમણનો કારણે મોત થયા છે.

અમદાવાદ કર્પોરેેશનમાં 10 હજારની નજીક કોરોના (Corona)ના કેસ

ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ 9,837 અમદાવાદ કોર્પોરેશન ખાતે નોંધાયા છે. ત્યારબાદ સુરત કોર્પોરેશનમાં 2,981, વડોદરા કોર્પોરેશનમાં 2,823, રાજકોટ કોર્પોરેશનમાં 1,333, સુરત જીલ્લામાં 728, આણંદમાં 558, ગાંધીનગર કોર્પોરેશનમાં 509, જામનગર કોર્પોરેશનમાં 417 જ્યારે ભાવનગર કોર્પોરેશનમાં 529 કેસ નોંધાયા છે.

Corona

Corona ના એક્ટિવ કુલ કેસ 1 લાખનો આંક વટાવી 1,04,888 : સાજા થવાનો દર 88.51%

આ સાથે રાજ્યામાં હાલ કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા વધીને 1,04,888 પર પહોંચી છે, જેમાં 156 દર્દીઓ વેન્ટિલેટર(Ventilator) પર, જ્યારે સ્ટેબલ અવસ્થામાં 1,04,732 દર્દીઓ છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 8,86,476 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે, જ્યારે 10,199 લોકો કોરોનાનો ભોગ બની ચૂક્યા છે. કોરોનાથી સાજા થવાનો દર 90થી નીચે આવી જતા હાલ 88.51% છે.

Corona

Corona ને નાથવા સાવચેતી રાખી આપનું અને આપના પરિવારનુ રક્ષણ કરો

કોરોના(Corona) સંક્રમણથી પોતાને અને પોતાના પરિવારને બચાવવા માસ્ક અચૂક પહોરો, સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન કરો, વારંવાર સાબુતી હાથ ધોવાનું રાખો, છીંક કે ઉધરસ ખાતી વખતે આપના નાક-મોઢાને કવર કરી ઢાંકવાની ટેવ પાડો, વારંવાર તમારી આંખને સ્પર્ષ કરવાથી બચો અને જરુરી ન હોય તો ધરની બહાર નીકળવાનું ટાળો. આપ સુરક્ષિત રહેશો તો આપનું પરિવાર સુરક્ષિત રહેશે, પરિવાર સુરક્ષિત રહેશે તો મહોલ્લો, શેરી કે સોસાયટી સુરક્ષિત રહેશે, સોસાયટી સુરક્ષિત રહેશે તો ગામ, જીલ્લો અને રાજ્ય સહિત દેશ સુરક્ષિત રહેશે. કોરોના(Corona) સામે લડવા દેશની સુરક્ષા માટે આગળ આવો, જાગૃત રહો અને જાગૃતિ ફેલાવો.

corona awareness

તાજા સમાચાર

Corona અંગે જીલ્લાવાર આંકડા

Corona

તાજા સમાચાર

આજે કુલ 2,47,111 લોકોનું રસીકર(Vaccination)

vaccination

રાજ્યમાં આજે કુલ 2,47,111 લોકોનું સરસીકરણ(Vaccination) કરવામાં આવ્યુ છે. જ્યારે અત્યાર સુધી કુલ 9,58,29,203 લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ છે.

આ પણ જુઓ

UP Election : UP Election : ભાજપે મુલાયમસિંહ યાદવની વહુ અપર્ણા યાદવને ભાજપમાં શામેલ કરી સમાજવાદી પાર્ટીના ગઢ ગણાતા યાદવ પરિવારમાં છીંડુ પાડ્યુ


SHARE STORY

Related posts

punjab politics : પંજાબમાં રાહુલ ગાંધીએ સિદ્ધુને રાજકીય રીતે નિપટાવી દીધા

SAHAJANAND

Gujarat : પત્રકારત્વ ઇતિહાસનું જતન કરવા સાથે નવસર્જન કરવાનુ સામર્થ્ય ધરાવે છે : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ 

Newspane24.com

Vadodara Police : જોવો વીડિયો : પેટ્રોલ-ડીઝલ ચોરી કરતી ગેંગને કેવી રીતે પોલીસે ઝડપી : 24 લાખનો મુદ્દામાલ કબજે

Newspane24.com

Gandhinagar ARTO : પસંદગીના નંબરો માટે ઓનલાઈન ઓક્શન 15 એપ્રિલથી શરુ

Newspane24.com

Leave a Comment