Table of Content : ગુજરાતમાં કોરોનાની છલાંગ : છેલ્લા 24 ક્લાકમાં 20,000થી વધુ નવા કેસ નોંધાયા : 12 ના મોત
ગુજરાત(Gujarat)માં છેલ્લા 24 કલાકમાં કોરોના(Corona)એ છલાંગ લગાવતા નવા સંક્રમિતોની સંખ્યામાં ભારે વૃદ્ધી જોવા મળી છે. આજે નોંધાયેલા નવા સંક્રમિતોની સંખ્યા 20,966 સુધી પહોંચી છે. પાછલા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં 22% જેટલો વધારો થતા કાલના 17,119ની સરખામણીમાં આજે 3,847 કેસ નવા સામે આવ્યા છે અને 12 લોકોના કોરોના સંક્રમણનો કારણે મોત થયા છે.
અમદાવાદ કર્પોરેેશનમાં સૌથી વધુ કોરોનાના કેસ
ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના 8,391 કેસ અમદાવાદ કોર્પોરેશન ખાતે નોંધાયા છે. ત્યારબાદ સુરત કોર્પોરેશનમાં 3,318, વડોદરા કોર્પોરેશનમાં 1,998, રાજકોટ કોર્પોરેશનમાં 1,259, સુરત જીલ્લામાં 656, ગાંધીનગર કોર્પોરેશનમાં 446 જ્યારે ભાવનગર કોર્પોરેશનમાં 526 કેસ નોંધાયા છે.

Corona ના એક્ટિવ કુલ કેસ 90,726 : સાજા થવાનો દર 90%થી નીચે પહોંચ્યો
આ સાથે રાજ્યામાં હાલ કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા વધીને 90,726 પર પહોંચી છે, જેમાં 125 દર્દીઓ વેન્ટિલેટર(Ventilator) પર, જ્યારે સ્ટેબલ અવસ્થામાં 90,601 દર્દીઓ છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 8,76.116 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે, જ્યારે 10,186 લોકો કોરોનાનો ભોગ બની ચૂક્યા છે. કોરોનાથી સાજા થવાનો દર 90થી નીચે આવી જતા હાલ 89.67% છે.

Corona ને નાથવા સાવચેતી રાખી આપનું અને આપના પરિવારનુ રક્ષણ કરો
કોરોનાCorona સંક્રમણથી પોતાને અને પોતાના પરિવારને બચાવવા માસ્ક અચૂક પહોરો, સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન કરો, વારંવાર સાબુતી હાથ ધોવાનું રાખો, છીંક કે ઉધરસ ખાતી વખતે આપના નાક-મોઢાને કવર કરી ઢાંકવાની ટેવ પાડો, વારંવાર તમારી આંખને સ્પર્ષ કરવાથી બચો અને જરુરી ન હોય તો ધરની બહાર નીકળવાનું ટાળો. આપ સુરક્ષિત રહેશો તો આપનું પરિવાર સુરક્ષિત રહેશે, પરિવાર સુરક્ષિત રહેશે તો મહોલ્લો, શેરી કે સોસાયટી સુરક્ષિત રહેશે, સોસાયટી સુરક્ષિત રહેશે તો ગામ, જીલ્લો અને રાજ્ય સહિત દેશ સુરક્ષિત રહેશે. કોરોના(Corona) સામે લડવા દેશની સુરક્ષા માટે આગળ આવો, જાગૃત રહો અને જાગૃતિ ફેલાવો.

તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
Corona અંગે જીલ્લાવાર આંકડા

તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
આજે કુલ 38,477 લોકોનું રસીકર(Vaccination)

રાજ્યમાં આજે કુલ 2,02,592 લોકોનું સરસીકરણ(Vaccination) કરવામાં આવ્યુ છે. જ્યારે અત્યાર સુધી કુલ 9,55,82,092 લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ છે.
આ પણ જુઓ
“હું હારી ગયો છુ, સોરી મમ્મી મારે આ કરવુ પડે છે”, પુત્રએ માતાને મેસજ કર્યા પછી શું થયુ…?