Table of Contents : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં Corona ના 12,735 નવા કેસ : 8 ના મોત
ગુજરાત(Gujarat)માં આજે નવા Corona સંક્રમિતોની સંખ્યા 12,735 રહી છે. પાછલા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં 25% જેટલો વધારો થતા કાલના 10,150ની સરખામણીમાં આજે 2,585 કેસ નવા સામે આવ્યા છે અને 8 લોકોના કોરોના સંક્રમણનો કારણે મોત થયા છે.
એક્ટિવ કેસ
આ સાથે રાજ્યામાં હાલ કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા વધીને 70,374 પર પહોંચી છે, જેમાં 95 દર્દીઓ વેન્ટિલેટર(Ventilator) પર, જ્યારે સ્ટેબલ અવસ્થામાં 70,279 દર્દીઓ છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 8,58,455 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે, જ્યારે 10,164 લોકોને કોરોનો ભોગ બની ચૂક્યા છે. કોરોનાથી સાજા થવાનો દર હાલ 91.42% છે.

Corona ને નાથવા સાવચેતી રાખી આપનું અને આપના પરિવારનુ રક્ષણ કરો
કોરોના સંક્રમણથી પોતાને અને પોતાના પરિવારને બચાવવા માસ્ક અચૂક પહોરો, સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન કરો, વારંવાર સાબુતી હાથ ધોવાનું રાખો, છીંક કે ઉધરસ ખાતી વખતે આપના નાક-મોઢાને કવર કરી ઢાંકવાની ટેવ પાડો, વારંવાર તમારી આંખને સ્પર્ષ કરવાથી બચો અને જરુરી ન હોય તો ધરની બહાર નીકળવાનું ટાળો. આપ સુરક્ષિત રહેશો તો આપનું પરિવાર સુરક્ષિત રહેશે, પરિવાર સુરક્ષિત રહેશે તો મહોલ્લો, શેરી કે સોસાયટી સુરક્ષિત રહેશે, સોસાયટી સુરક્ષિત રહેશે તો ગામ, જીલ્લો અને રાજ્ય સહિત દેશ સુરક્ષિત રહેશે. Corona સામે દેશની સુરક્ષા માટે આગળ આવો, જાગૃત રહો અને જાગૃતિ ફેલાવો.

તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
Corona અંગે જીલ્લાવાર આંકડા

આજે કુલ 38,477 લોકોનું રસીકર(Vaccination)

રાજ્યમાં આજે કુલ 2,63,593 લોકોનું સરસીકરણ(Vaccination) કરવામાં આવ્યુ છે. જ્યારે અત્યાર સુધી કુલ 9,50,62,411 લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ છે.