27 C
Ahmedabad
September 26, 2023
NEWSPANE24
Gujarat News

ગુજરાતમાં આજે Corona સંક્રમિતોના 21,225 કેસ : 16 ના મોત

corona
SHARE STORY

Table of Content : ગુજરાતમાં આજે Corona સંક્રમિતોના 21,225 કેસ : 16 ના મોત

ગુજરાત(Gujarat)માં છેલ્લા 24 કલાકમાં કોરોના(Corona) સંક્રમિતોની સંખ્યામાં ગાઈ કાલ કરતા આજે ધટાડો જોવા મળ્યો છે. આજે નોંધાયેલા નવા સંક્રમિતોની સંખ્યા 21,225 સુધી પહોંચી છે. પાછલા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં 13% જેટલો ઘટાડો થતા કાલના 24,485ની સરખામણીમાં આજે 21,225 કેસ નવા સામે આવ્યા છે અને 16 લોકોના કોરોના સંક્રમણનો કારણે મોત થયા છે.

અમદાવાદ કર્પોરેેશનમાં સૌથી વધુ 8,627 કોરોના (Corona)ના કેસ

ગુજરાત (Gujarat) માં સૌથી વધુ કોરોના(Corona)ના કેસ 8,627 અમદાવાદ કોર્પોરેશન ખાતે નોંધાયા છે. ત્યારબાદ સુરત કોર્પોરેશનમાં 2,124, વડોદરા કોર્પોરેશનમાં 2,432, રાજકોટ કોર્પોરેશનમાં 1,502, સુરત જીલ્લામાં 452, આણંદમાં 343, ગાંધીનગર કોર્પોરેશનમાં 612, જામનગર કોર્પોરેશનમાં 330 જ્યારે ભાવનગર કોર્પોરેશનમાં 404 કેસ નોંધાયા છે.

Corona

Corona ના એક્ટિવ કુલ કેસ 1 લાખનો આંક વટાવી 1,16,84 : સાજા થવાનો દર 87.58%

આ સાથે રાજ્ય(Gujarat)માં હાલ કોરોનાCorona)ના એક્ટિવ કેસોની સંખ્યા વધીને 1,16,843 પર પહોંચી છે, જેમાં 172 દર્દીઓ વેન્ટિલેટર(Ventilator) પર, જ્યારે સ્ટેબલ અવસ્થામાં 1,16,671 દર્દીઓ છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 8,95,730 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે, જ્યારે 10,215 લોકો કોરોનાનો ભોગ બની ચૂક્યા છે. કોરોનાથી સાજા થવાનો દર 90થી નીચે આવી જતા હાલ 87.58% છે.

Corona

કોરોનાને નાથવા સાવચેતી રાખી આપનું અને આપના પરિવારનુ રક્ષણ કરો

કોરોના સંક્રમણથી પોતાને અને પોતાના પરિવારને બચાવવા માસ્ક અચૂક પહોરો, સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન કરો, વારંવાર સાબુતી હાથ ધોવાનું રાખો, છીંક કે ઉધરસ ખાતી વખતે આપના નાક-મોઢાને કવર કરી ઢાંકવાની ટેવ પાડો, વારંવાર તમારી આંખને સ્પર્ષ કરવાથી બચો અને જરુરી ન હોય તો ધરની બહાર નીકળવાનું ટાળો. આપ સુરક્ષિત રહેશો તો આપનું પરિવાર સુરક્ષિત રહેશે, પરિવાર સુરક્ષિત રહેશે તો મહોલ્લો, શેરી કે સોસાયટી સુરક્ષિત રહેશે, સોસાયટી સુરક્ષિત રહેશે તો ગામ, જીલ્લો અને રાજ્ય સહિત દેશ સુરક્ષિત રહેશે. કોરોના(Corona) સામે લડવા દેશની સુરક્ષા માટે આગળ આવો, જાગૃત રહો અને જાગૃતિ ફેલાવો.

corona awareness

તાજા સમાચાર

કોરોના અંગે જીલ્લાવાર આંકડા

corona numbers

તાજા સમાચાર

આજે કુલ 2,10,600 લોકોનું રસીકર(Vaccination)

corona vaccination

રાજ્યમાં આજે કુલ 2,10,600લોકોનું સરસીકરણ(Vaccination) કરવામાં આવ્યુ છે. જ્યારે અત્યાર સુધી કુલ 9,60,39,803 લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ છે.

આ પણ જુઓ

Surat Special ! જીવદયા પ્રેમીની અનોખી પહેલ : દોરીની ગૂંચ લાવો સામે ખમણ કે લોચો ફ્રી

ગોધરાના કિશોરને વડોદરા સયાજી હોસ્પિટલ(sayajirao hospital vadodara)ના ડોક્ટરોએ આપ્યુ નવુ જીવન


SHARE STORY

Related posts

Academy Of Fine Arts : ગુજરાત લલિતકલા અકાદમી દ્વારા રાજ્યકલા સ્પર્ધાનું આયોજન

SAHAJANAND

TheKashmirFiles : દાલમિયાં ગ્રૃપ સ્વખર્ચે કર્મચારીઓને “ધ કાશ્મિર ફાઈલ્સ” બતાવશે

Newspane24.com

Ghar Vapasi : શિયા વક્ફ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રીઝવીનો સનાતન ધર્મમાં પૂન:પ્રવેશ

SAHAJANAND

Ahmedabad Police : 3 જાન્યુઆરી દરમ્યાન અમદાવાદ પોલીસની કાર્યવાહી

SAHAJANAND

Leave a Comment